વડોદરામાં GHBના ૯૫૩૩ જર્જરિત મકાનો: આગામી ચોમાસામાં જાનહાનિનો ભય
વડોદરામાં GHBના ૯૫૩૩ જર્જરિત મકાનો: આગામી ચોમાસામાં જાનહાનિનો ભય
Published on: 13th June, 2026

વડોદરા શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) ના ૯૫૩૩ જેટલા જર્જરિત મકાનો આગામી ચોમાસામાં ગમે ત્યારે જાનહાનિ નોતરી શકે છે. આ મકાનોમાં રહેતા લોકોને ફક્ત નોટિસો આપીને સંતોષ માની લેવાયો છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના જણાવ્યા મુજબ, લાભાર્થીઓને મિલકતો સોંપાયા બાદ સમારકામ કે અન્ય કોઈ જવાબદારી બોર્ડની રહેતી નથી. ભયજનક ઇમારતો તાત્કાલિક ખાલી કરવા અને તેમાં થતી કોઈ પણ દુર્ઘટના કે સમારકામ માટે બોર્ડ જવાબદાર રહેશે નહીં.