જામનગરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પોલીસ બોલાવી
જામનગરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ પોલીસ બોલાવી
Published on: 21st August, 2026

જામનગરના મયુર એવન્યુમાં રહેતી 38 વર્ષીય મહિલાએ પોતાના પતિ હેમંત લાધાભાઈ નકુમ સામે લાંબા સમયથી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. પતિ ઘરખર્ચ માટે પૈસા ન આપતા અને નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરતા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. બે દીકરીઓની માતા હોવા છતાં, જરૂરિયાત સમયે સારવાર કે દેખભાળ ન રાખવાનો પણ આરોપ છે. તાજેતરમાં થયેલી મારકૂટ બાદ, દીકરીએ 112 પર ફોન કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.