મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં ઝેરી દારૂથી 9 લોકોના મોત
Published on: 06th September, 2026

મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બરાજ ગામમાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે, અનેક લોકો ગંભીર છે. આ ઘટના શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ બની હતી. ગામમાં ભય અને શોકનો માહોલ છે. થોડા સમય પહેલા નકલી દારૂ અંગે અનેક ફરિયાદો નોંધાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિક પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુના કારણની સ્પષ્ટતા થશે.