અંજારમાં ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં તળાવમાંથી મળ્યો
અંજારમાં ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં તળાવમાંથી મળ્યો
Published on: 06th September, 2026

કચ્છના અંજારમાં એક ચોંકાવનારી ઘટનામાં, 43 વર્ષીય લખ્ખુ હુંબલ નામના ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવાયેલો મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના માથા પર ગંભીર ઈજાના નિશાન પ્રાથમિક તપાસમાં જણાયા છે, જે હત્યા બાદ પુરાવા છુપાવવાનો પ્રયાસ સૂચવે છે.