જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
Published on: 06th September, 2026

જામનગર નજીક નવાગામ-નંબર 9 વિસ્તારમાં રહેતા રાણસીભાઈ હાથીયા (21)એ ક્રેટા કાર ચાલક અર્જુનસિંહ વિરુદ્ધ મારામારી અને સોનાની ચેન ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટના તા. 5 સપ્ટેમ્બરના રોજ બની હતી જ્યારે રાણસીભાઈ પોતાની બોલેરો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. રોડ પર એક ટ્રક આગળ હોવાથી તેમણે ક્રેટા કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતે ક્રેટા ચાલકે બોલાચાલી કરી અને બાદમાં સિક્કા પાટીયા પાસે કાર રોકાવી રાણસીભાઈને ધક્કો મારી માર માર્યો. મારામારી દરમિયાન તેમની ગળામાં પહેરેલી આશરે રૂ. 80,000ની સોનાની ચેન પણ તૂટીને પડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.