ઉમરગામના સંજાણ ગામે જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા બે તસ્કરોને લોકોએ પકડ્યા
ઉમરગામના સંજાણ ગામે જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા બે તસ્કરોને લોકોએ પકડ્યા
Published on: 19th August, 2026

ઉમરગામ તાલુકાના સંજાણ ગામે મધરાતે બે તસ્કરો જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘુસ્યા હતા. પરંતુ લોકોની સતર્કતાને કારણે તેઓ ચોરી કરતા પહેલા જ પકડાઈ ગયા. લોકોએ દુકાનનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. ચોર એટલા ગભરાયા કે તેમણે જાતે જ પોલીસને બોલાવવા માટે 112 પર ફોન કર્યો, જેનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું. આ ચોરીનો પ્રયાસ લોકોની સજાગતાથી નિષ્ફળ રહ્યો. પોલીસે ચોરીના સાધનો સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા અને તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે.