જેનપુરમાં મામેરામાં જવા વાહનમાં બેસવા મુદ્દે ઝઘડો, 4ને ઈજા.
જેનપુરમાં મામેરામાં જવા વાહનમાં બેસવા મુદ્દે ઝઘડો, 4ને ઈજા.
Published on: 30th April, 2026

પ્રાંતિજ તાલુકાના જેનપુર ગામે મામેરાના પ્રસંગમાં આઈશરમાં બેસવા બાબતે થયેલી નજીવી બોલાચાલી હિંસક ઝઘડામાં પરિણમી હતી. ગત ૨૭ એપ્રિલે કૌટુંબિક સભ્યો વચ્ચે થયેલા વિખવાદમાં ચાર શખ્સોએ મહિપાલસિંહ અને તેમના પરિવારજનો પર લાકડીઓ વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે નિર્મલાબા ઝાલાની ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે ધીરૂસિંહ ઝાલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઈ છે.