અમદાવાદના શહેરકોટડામાં અસામાજિક તત્વોનો પરિવાર પર પથ્થરમારો
અમદાવાદના શહેરકોટડામાં અસામાજિક તત્વોનો પરિવાર પર પથ્થરમારો
Published on: 05th August, 2026

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં મેમ્કો પાટિયા નજીક નગરની ચાલીમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક યુવતી સહિત 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આખી રાત અસામાજિક તત્વોએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સિક્યુરિટી ગાર્ડ પિનાકીન અંબાલાલ જાદવની ફરિયાદ મુજબ, 8 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી, ગાળાગાળી કરી, મારમારી અને ઈંટોના મારથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ મોબાઈલ તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.