હિંમતનગરમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 45 હજારના મુદ્દામાલની ચોરી.
હિંમતનગરમાં બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, 45 હજારના મુદ્દામાલની ચોરી.
Published on: 25th May, 2026

હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ પર અયોધ્યાપુરી સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને સોનું મળી 45 હજારની ચોરી કરી હતી. મકાન માલિક વેકેશન પર ગયેલા હતા, તે દરમિયાન રાત્રિના સમયે ચોરોએ તાળું તોડી તિજોરીમાંથી આશરે બે તોલા સોનાની ચેન, મંગળસૂત્ર, કાનની વાળી તેમજ બાળકોના ગલ્લાંમાંથી 40 હજાર રોકડા અને અન્ય 5 હજાર રૂપિયા ચોરી લીધા હતા. પાડોશીએ તાળું તૂટેલું જોઈ પોલીસને જાણ કરતાં ગુનો નોંધવામાં આવ્યો.