ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત માંડ માંડ બચ્યા
ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો, RSS વડા મોહન ભાગવત માંડ માંડ બચ્યા
Published on: 12th June, 2026

લખનૌથી નવી દિલ્હી જતી ગોલ્ડન શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર થયેલા પથ્થરમારાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રેનના કોચને નુકસાન થયું. મહત્વપૂર્ણ બાબત એ છે કે RSS ના વડા મોહન ભાગવત પણ આ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ આ ઘટનામાં સુરક્ષિત રહ્યા. ઘટના સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે ઈટાવા-ટુંડલા રેલવે લાઈન પર બની હતી. અજાણ્યા શખ્સે ટ્રેન પર પથ્થર ફેંકતા E1 કોચની બારીનો કાચ તૂટી ગયો હતો.