RSS વડા મોહન ભાગવતની શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો
RSS વડા મોહન ભાગવતની શતાબ્દી એક્સપ્રેસ પર પથ્થરમારો
Published on: 12th June, 2026

લખનૌથી નવી દિલ્હી જઈ રહેલી સ્વર્ણ શતાબ્દી એક્સપ્રેસ (ટ્રેન નંબર 12003) પર ફિરોઝાબાદ પાસે પથ્થરમારો થયો, જેનાથી એક્ઝિક્યુટિવ ક્લાસ (E-1) કોચનો બહારનો કાચ તૂટી ગયો. આ ઘટના ત્યારે બની જ્યારે RSSના સરસંઘચાલક મોહન ભાગવત પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. કોઈ મુસાફર ઘાયલ થયો નથી અને સંઘ પ્રમુખ સુરક્ષિત છે. ટુંડલા રેલ્વે જંકશન પર ટ્રેનને રોકી તપાસ કરવામાં આવી અને સુરક્ષા મંજૂરી બાદ આગળ રવાના કરાઈ. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા 6 ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ છે.