સુરતમાં અતિવૃષ્ટિમાં થયેલી રજાઓની ભરપાઈ માટે 4 રવિવારે શાળા ચાલુ રહેશે
સુરતમાં અતિવૃષ્ટિમાં થયેલી રજાઓની ભરપાઈ માટે 4 રવિવારે શાળા ચાલુ રહેશે
Published on: 24th August, 2026

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે શાળાઓમાં જાહેર થયેલી આકસ્મિક રજાઓની ભરપાઈ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનો નિર્ધારિત અભ્યાસક્રમ પરીક્ષા પહેલાં પૂર્ણ થઈ શકે તે હેતુથી, ચાર રજાના દિવસોની સામે ચાર રવિવારે શૈક્ષણિક કાર્ય યોજવામાં આવશે. આ અંગેનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જોકે, રજાના દિવસે વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી કેટલી રહેશે તે એક મોટો પ્રશ્ન છે. 24 જુલાઈથી 1 ઓગસ્ટ સુધીની રજાઓની ભરપાઈ અનુક્રમે 6 સપ્ટેમ્બર, 13 સપ્ટેમ્બર, 27 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરના રવિવારે કરવામાં આવશે.