શિક્ષકોને બદલીમાં મૂળ કે નવરચિત જિલ્લામાં જવા માટે એકવાર વિકલ્પ મળશે
શિક્ષકોને બદલીમાં મૂળ કે નવરચિત જિલ્લામાં જવા માટે એકવાર વિકલ્પ મળશે
Published on: 23rd July, 2026

ગુજરાતમાં ધોરણ 9 થી 12ના સરકારી શાળાઓના શિક્ષકોની બદલીના નિયમોમાં મહત્વનો સુધારો કરાયો છે. નવા ઠરાવ મુજબ, શિક્ષકોને પોતાના મૂળ અથવા નવરચિત જિલ્લામાં જવા માટે 'વન-ટાઈમ વિકલ્પ' (એકવાર તક) આપવામાં આવશે. જિલ્લા વિભાજનને કારણે ઊભી થયેલી વહીવટી મુશ્કેલીઓ અને શિક્ષકોની રજૂઆતો ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે. આ નવી જોગવાઈઓ સાથે, શિક્ષકો પોતાના વિભાગ અને વિષયને અનુરૂપ વિકલ્પ પસંદ કરી શકશે. ઉપરાંત, તાલુકા કે ગામોના જિલ્લા ફેરબદલીના કિસ્સામાં પણ શિક્ષકોને વિકલ્પ મળશે. બદલી કેમ્પ તબક્કાવાર યોજાશે.