ગુજરાતમાં ધોરણ 2 થી 11ના વિદ્યાર્થીઓ માટે 29 નવા પાઠ્યપુસ્તકો
ગુજરાતમાં ધોરણ 2 થી 11ના વિદ્યાર્થીઓ માટે 29 નવા પાઠ્યપુસ્તકો
Published on: 10th June, 2026

રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે ધોરણ 2 થી 11ના વિદ્યાર્થીઓ માટે 29 નવા પાઠ્યપુસ્તકો અમલમાં આવ્યા છે. આ નવા પુસ્તકોમાં 15 ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GSBSTB) દ્વારા અને 14 National Council of Educational Research and Training (NCERT) દ્વારા તૈયાર કરાયા છે. બદલાયેલા અભ્યાસક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીને બદલે વાર્તા, એક્ટિવિટી અને ડ્રામા જેવી શૈલીઓથી ભણાવવાનો છે. ભગવદ્દ ગીતાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાયો છે, જે ભારતીય સંસ્કૃતિના વારસાથી વિદ્યાર્થીઓને પરિચિત કરાવશે.