પંચમહાલના કાલોલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી
પંચમહાલના કાલોલ સરસ્વતી વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી
Published on: 12th August, 2026

આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે "સ્વસ્થ બાળક - મજબૂત ભારત" અંતર્ગત કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના તમામ બાળકોને કૃમિ મુક્ત બનાવી સ્વસ્થ, પોષિત અને શિક્ષિત કરવાનો હતો. આ પ્રસંગે બાળકોને કૃમિનાશક અલ્બેન્ડાઝોલની ગોળી આપવામાં આવી. કાર્યક્રમમાં રાજેન્દ્રભાઈ જોશી અને હિંમતસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.