વડોદરાના તાંદળજામાં અકસ્માત બાદ તંત્ર જાગ્યું
વડોદરાના તાંદળજામાં અકસ્માત બાદ તંત્ર જાગ્યું
Published on: 12th August, 2026

વડોદરાના તાંદળજા વિસ્તારમાં તાજેતરમાં થયેલા અકસ્માત બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે. કિસ્મત ચોકડી નજીક મુખ્ય માર્ગ પર થયેલા દબાણોને દૂર કરવા માટે દબાણ શાખાએ કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનો, કેબીનો અને શેડના ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. માર્ગ સાંકડો બની જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. પાંચ JCB મશીન સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી. સાતથી આઠ દુકાનોના શેડ તોડવામાં આવ્યા અને 5 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો. આ દરમિયાન વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે સામાન્ય રકઝક થઈ હતી.