પોરબંદરમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન બિલ્ડિંગ
પોરબંદરમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન બિલ્ડિંગ
Published on: 10th August, 2026

પોરબંદરમાં જર્જરિત નવયુગ સ્કૂલના વિજ્ઞાન ભવનનું સમારકામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના રૂ.50 લાખના ડોનેશનથી શરૂ થયું છે. આગામી 2 માસમાં 125 વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ તૈયાર થશે. મુંબઈના ઉદ્યોગપતિ શરદભાઈ રૂપારેલે રૂ.21 લાખનું દાન આપ્યું. 8 રૂમ સ્માર્ટ ક્લાસ બનશે, 3 લેબનું આધુનિકીકરણ થશે અને ગ્રાઉન્ડનું સમારકામ કરાશે. દીકરીઓ માટે શિક્ષણ મફત રહેશે, જ્યારે કુમારો માટે નજીવી ફી રહેશે.