સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરના રેગિંગ બાદ આપઘાત
સુરતમાં રેસિડેન્ટ ડૉક્ટરના રેગિંગ બાદ આપઘાત
Published on: 10th August, 2026

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડૉક્ટર ડૉ. હર્ષ પંડ્યાના આપઘાત બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ડૉક્ટરનું તેના સિનિયરો દ્વારા માનસિક ત્રાસ આપી રેગિંગ કરવામાં આવતું હતું. આ ગંભીર બાબતને પગલે કોલેજ અને હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા છે. રેગિંગમાં સંડોવાયેલા 4 સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરોને આગામી 6 મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસ તપાસમાં મૃતકના મોબાઈલ અને લેપટોપ કબજે લેવાયા છે.