રાણાવાવ તાલુકામાં ધો.3 ના પાઠ્યપુસ્તકો ન મળ્યા: જવાબદારો સામે કાર્યવાહીની માંગ
રાણાવાવ તાલુકામાં ધો.3 ના પાઠ્યપુસ્તકો ન મળ્યા: જવાબદારો સામે કાર્યવાહીની માંગ
Published on: 03rd August, 2026

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શાળાઓમાં ધોરણ-3 ના વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતાં આમ આદમી પાર્ટીએ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની રજૂઆત કરી છે. શૈક્ષણિક સત્રનો મોટો ભાગ વીતી ગયો હોવા છતાં પુસ્તકો ન મળવાથી બાળકોના અભ્યાસ પર ગંભીર અસર થઈ રહી છે. સરકારના 'શાળા પ્રવેશોત્સવ' અને 'ગુણોત્સવ' જેવા આયોજનોની પોકળતા સામે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે બાળકોને અભ્યાસ માટે જરૂરી પુસ્તકો સમયસર મળતા નથી, જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.