મહારાષ્ટ્રનું માથેરાનનું શાર્લોટ લેક ખાલી
મહારાષ્ટ્રનું માથેરાનનું શાર્લોટ લેક ખાલી
Published on: 15th August, 2026

માથેરાનના પ્રખ્યાત શાર્લોટ લેકને સફાઈના બદલે ખાલી કરી દેવાતા ટુરિસ્ટ સિઝન પર મોટી અસર પડી છે. તંત્રની બેદરકારીને કારણે લેકમાંથી કચરો કાઢવાની જગ્યાએ તેના દરવાજા ખોલી નાખવામાં આવ્યા, જેના પરિણામે પાણીનો મોટા પ્રમાણમાં વ્યય થયો. આ પગલાંથી સ્થાનિકોને પીવાના પાણીની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટનાને કારણે ઘણા પ્રવાસીઓએ તેમના બુકિંગ રદ કર્યા છે અને વૈકલ્પિક સ્થળો તરફ વળ્યા છે.