ક્રિતી સેનને જણાવ્યું એગ્સ ફ્રીઝ કરાવવાનું કારણ, કહ્યું- દબાણમાં આવીને લગ્ન કે બાળકો ન કરાય
ક્રિતી સેનને જણાવ્યું એગ્સ ફ્રીઝ કરાવવાનું કારણ, કહ્યું- દબાણમાં આવીને લગ્ન કે બાળકો ન કરાય
Published on: 07th July, 2026

બોલીવૂડ અભિનેત્રી ક્રિતી સેનન એ પોતાના એગ્સ ફ્રીઝ કરાવવાના નિર્ણય વિશે પહેલીવાર ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, લગ્ન કે બાળકો પેદા કરવાનો નિર્ણય કોઈના દબાણમાં આવીને નહીં, પરંતુ પોતાની મરજી મુજબ લેવો જોઈએ. આ નિર્ણય તે સમયે લીધો જ્યારે તેઓ ફિલ્મ 'મિમી' ની તૈયારી કરી રહી હતી. આ પ્રક્રિયા ખર્ચાળ હોવા છતાં, આર્થિક રીતે સક્ષમ હોવાથી તેઓ આ નિર્ણય લઈ શક્યા. આ નિર્ણય ભવિષ્યમાં માતા બનવા માટે રાહત આપશે.