રાજકોટમાં જન્માષ્ટમી મેળાના આયોજકો માટે કડક SOP
રાજકોટમાં જન્માષ્ટમી મેળાના આયોજકો માટે કડક SOP
Published on: 18th August, 2026

સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટમાં ખાનગી મેળાઓના આયોજન માટે નવી SOP લાગુ કરાઈ છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરાયા છે. દરેક રાઈડના ગેટ પર 5x5 ફૂટનું માહિતી બોર્ડ લગાવવું ફરજિયાત છે. પોલીસ કમિશનર દ્વારા રચાયેલી 13 સભ્યોની સિટી રાઇડ્સ સેફ્ટી અને ઇન્સ્પેક્શન કમિટીની મંજૂરી અને સકારાત્મક અભિપ્રાય વગર કોઈપણ મેળાનુ આયોજન થશે નહીં. આ વર્ષે પણ 5 જેટલા મેળાઓનું આયોજન થવાની શક્યતા છે.