જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરી ગેંગનો એલ.સી.બી.એ કર્યો પર્દાફાશ
જામજોધપુર પવનચક્કી કોપર વાયર ચોરી ગેંગનો એલ.સી.બી.એ કર્યો પર્દાફાશ
Published on: 18th August, 2026

જામનગર એલ.સી.બી.એ જામજોધપુર પંથકમાં પવનચક્કીના ટાવરમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ.16.54 લાખનો મુદ્દામાલ, જેમાં ચોરીનો કોપર વાયર, વાહનો અને મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે, તે કબજે કર્યો છે. ગેંગના અન્ય છ સાગરીતોને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે. આ ચોરી સુઝલોન રિન્યુએબલ ડેવલપમેન્ટ લિમિટેડના ટાવરમાંથી થઈ હતી.