જામનગરના 487માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
જામનગરના 487માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી
Published on: 18th August, 2026

જામનગર (નવાનગર) તેના 487મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવા તૈયાર છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 19 ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સવારે 9 વાગ્યે દરબારગઢ સર્કલ ખાતે ખાંભી પૂજન અને ત્યારબાદ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરાશે. સાંજે 6 વાગ્યે એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે જામનગરના ઇતિહાસ પર ઓપન ક્વિઝ કોમ્પિટિશન યોજાશે. આ કાર્યક્રમોમાં નાગરિકોને સહભાગી થવા આમંત્રણ છે.