કાંતારા વિવાદ: રણવીર સિંહે કોર્ટના આદેશ બાદ ચામુંડેશ્વરી મંદિરે કરી વિશેષ પૂજા.
કાંતારા વિવાદ: રણવીર સિંહે કોર્ટના આદેશ બાદ ચામુંડેશ્વરી મંદિરે કરી વિશેષ પૂજા.
Published on: 26th May, 2026

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ મંગળવારે કર્ણાટકના મૈસુર સ્થિત પ્રસિદ્ધ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યા હતા અને માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત ગુપ્ત રાખવામાં આવી હતી. સુપરહિટ કન્નડ ફિલ્મ 'કાંતારા'ના દ્રશ્યની મિમિક્રી કરવાના વિવાદમાં FIR બાદ કર્ણાટક હાઇકોર્ટે તેમને આ આદેશ આપ્યો હતો. એપ્રિલ મહિનામાં, રણવીર સિંહે કોર્ટમાં સુધારેલી એફિડેવિટ જમા કરાવીને બિનશરતી માફી માંગી હતી. હાઇકોર્ટે આ મામલાનો નિકાલ કરતાં તેમને 4 અઠવાડિયામાં ચામુંડેશ્વરી મંદિરે પૂજા કરવાનો નિર્દેશ આપ્યો હતો.