ગાજદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ પુર્ણાહુતી નિમિત્તે ભવ્ય લોકમેળો
ગાજદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે શ્રાવણ પુર્ણાહુતી નિમિત્તે ભવ્ય લોકમેળો
Published on: 13th September, 2026

સમી પંથકના ગાજદીનપુરા ગામે પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસની પુર્ણાહુતી નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાયો હતો. આ પ્રસંગે સ્થાનિકો અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. લોકવાયકા મુજબ, આ સ્થળ હિડિંબા વન તરીકે ઓળખાતું હતું, જ્યાં પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન રહ્યા હતા. તે સમયે ભીમે સ્વયં શિવલિંગની સ્થાપના કરી હોવાની માન્યતા છે. આ પૌરાણિક મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને શ્રાવણ માસ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાય છે.