2600 વર્ષ પ્રાચીન જૈન મંદિરની ઉપેક્ષા, હેરિટેજ બજેટમાંથી પણ અવગણના
2600 વર્ષ પ્રાચીન જૈન મંદિરની ઉપેક્ષા, હેરિટેજ બજેટમાંથી પણ અવગણના
Published on: 13th September, 2026

ભગવાન મહાવીર સ્વામી (વર્ધમાન)ના નામ પરથી વસેલા વઢવાણ ખાતે ભોગાવો નદી કાંઠે આવેલી 2600 વર્ષ પ્રાચીન દેરી તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે. આ પાવન સ્થળે ભગવાન મહાવીર સ્વામીના પગલાં આવેલા છે, પરંતુ જાળવણીના અભાવે જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે. પ્રાચીન દેરીની દીવાલો, ઘુમ્મટ અને પિલ્લરોમાં ઊંડી તિરાડો પડી ગઈ છે તેમજ છત અત્યંત નબળી થઈ ચૂકી છે. મનપાએ ઝાલાવાડ હેરિટેજ માટે રૂ.5 કરોડનું બજેટ ફાળવ્યું હોવા છતાં આ ઐતિહાસિક સ્થળ વંચિત છે. આ પવિત્ર ધરોહરનો જીર્ણોદ્ધાર કરી તેને ભવ્ય તીર્થસ્થાન તરીકે વિકસાવવામાં આવે તેવી સમાજની આક્રોશપૂર્ણ માંગ છે.