પોરબંદર લોક અદાલતમાં 5932 કેસનો નિકાલ
પોરબંદર લોક અદાલતમાં 5932 કેસનો નિકાલ
Published on: 13th September, 2026

પોરબંદર જિલ્લાની કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં 5932 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયો, જેમાં કુલ રૂ. 1,93,33,373 ની રકમના વિવાદોનું સમાધાન થયું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના નિર્દેશો હેઠળ આયોજિત આ લોક અદાલતમાં પ્રી-લીટીગેશન, સ્ટેટ પ્લાન ઓફ એક્સન અને સ્પેશ્યલ સીટિંગના કેસોનો સમાવેશ થાય છે. આ પ્રયાસોથી મોટી સંખ્યામાં લોકોના વિવાદોનો ઉકેલ આવ્યો છે.