વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દેશભક્તિ પાદપૂર્તિ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ
વડોદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા દેશભક્તિ પાદપૂર્તિ સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ
Published on: 15th August, 2026

શહેરના દાંડિયાબજાર સ્થિત પ્રેમાનંદ સાહિત્ય સભામાં સમાજસેવક શંકરલાલ ત્રિવેદીની અધ્યક્ષતા અને જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટના હરીશ શાહ તથા કવિ દુર્ગેશ ઉપાધ્યાયના અતિથિ વિશેષપદે દેશભક્તિ ગીત, ગઝલ, કવિતા, અછાંદસની પાદપૂર્તિ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 32 કવિ-કવયિત્રીઓએ સ્વરચિત કૃતિઓ રજૂ કરી વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું. હરીશ શાહે પ્રેમાનંદની પ્રવૃત્તિઓને બિરદાવી, દુર્ગેશ ઉપાધ્યાયે દેશદાઝ જાળવવા કહ્યું, અને શંકરલાલ ત્રિવેદીએ ઐક્ય સાધવાની હિમાયત કરી. વિવિધ પુરસ્કારો વિજેતાઓને એનાયત કરાયા.