૮૦મો સ્વાતંત્ર્ય પર્વ: જિલ્લામાં આન-બાન-શાન સાથે તિરંગો લહેરાશે
૮૦મો સ્વાતંત્ર્ય પર્વ: જિલ્લામાં આન-બાન-શાન સાથે તિરંગો લહેરાશે
Published on: 15th August, 2026

ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના જોમ સાથે ઉજવણી થશે, જેમાં જિલ્લાભરમાં આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાશે. ઘોઘા રો-રો ફેરી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થશે, જ્યાં મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ધ્વજવંદન થશે. કાર્યક્રમોમાં ધ્વજવંદન, પરેડ, સલામી, રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ-ગરબા, નૃત્ય, રાષ્ટ્રગાન અને ઉદબોધનનો સમાવેશ થાય છે. આઝાદી પર્વની ઉજવણી નિમિત્તે સરકારી-ખાનગી બિલ્ડીંગો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે.