સુરેન્દ્રનગરમાં 2.16 લાખ બાળકોને અપાશે 28 જૂનથી પોલિયો રસીના બે ટીપાં
સુરેન્દ્રનગરમાં 2.16 લાખ બાળકોને અપાશે 28 જૂનથી પોલિયો રસીના બે ટીપાં
Published on: 28th June, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારત અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 28 થી 30 જૂન 2026 સુધી પોલિયો રસીકરણ અભિયાનનું આયોજન કરાયું છે. આ મહા અભિયાન હેઠળ, 0 થી 5 વર્ષના કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના બે ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે. રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવવા માટે કલેક્ટર કચેરી ખાતે ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. 1725 હાઉસ-ટુ-હાઉસ ટીમો બાકી રહી ગયેલા બાળકોને રસી આપવા ઘરે-ઘરે જશે. 44 મોબાઈલ ટીમો વાડી વિસ્તાર અને શ્રમિકોના બાળકો સુધી પહોંચશે, જ્યારે 48 ટ્રાન્ઝીસ્ટ ટીમો ભીડભાડવાળા સ્થળો પર નજર રાખશે.