આજવા રોડ પર મધરાતે કારનો કાચ તોડી પેટ્રોલ છાંટી આગ લગાવી
આજવા રોડ પર મધરાતે કારનો કાચ તોડી પેટ્રોલ છાંટી આગ લગાવી
Published on: 12th August, 2026

વડોદરાના આજવા રોડ પર એક ચોંકાવનારી ઘટના બની છે. કમલાનગર તળાવ પાસે રહેતા અંકુરભાઈ પુરાણીની કાર પર બદલો લેવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો. અગાઉ નોંધાવેલ છેતરપિંડીના કેસમાં કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગત રાત્રે અંદાજે 2:30 વાગ્યે, દિવ્યાંશુસિંહ વિરેન્દ્રસિંહ ચૌહાણે તેમની કારનો કાચ તોડી, પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. સદનસીબે, આગ કાબુમાં આવી ગઈ હતી, પરંતુ કારને નુકસાન થયું.