જામનગરમાં આર્થિક તંગીથી કંટાળી પરિણીતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
જામનગરમાં આર્થિક તંગીથી કંટાળી પરિણીતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Published on: 05th September, 2026

જામનગરના કાલાવડ નાકા બહાર નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય પરિણીતા આયશાબેને ઘરમાં સર્જાયેલી આર્થિક તંગીથી કંટાળી ગળાફાંસો ખાઈ લીધો હતો. તેના પતિ સમીરશાને ત્રણ માસ પહેલાં પડી જવાથી કમરમાં ઈજા થતાં તેઓ કામ પર જઈ શકતા ન હતા. જેના કારણે પરિવાર આર્થિક સંકડામણમાં મુકાયો હતો. તા.22 ઓગસ્ટની રાત્રે આયશાબેને આ પગલું ભર્યું, જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયા બાદ મોત નીપજ્યું. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે.