8 સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે ₹30,776 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ
8 સપ્ટેમ્બરે PM મોદીના હસ્તે ₹30,776 કરોડના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ
Published on: 05th September, 2026

આગામી 8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાત લેશે. આ પ્રસંગે, શહેર અને આસપાસના વિસ્તારોને રેલવે ક્ષેત્રે ₹30,776 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ મળશે. વડાપ્રધાન વિવિધ રેલવે પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. જેમાં વડોદરા-રતલામ વચ્ચેની ત્રીજી-ચોથી રેલવે લાઇન, વિશ્વામિત્રી-ડભોઇ વચ્ચે ડબલ લાઇન, અને મિયાગામ કરજણ-ચોરંદા-માલસર વચ્ચે ગેજ પરિવર્તનનો સમાવેશ થાય છે. સમર્પિત માલવાહક રેલ કોરિડોરના નવા વિભાગોનું પણ લોકાર્પણ થશે. આ ઉપરાંત, વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન સેવા અને માલગાડીઓનો પણ શુભારંભ થશે.