અમદાવાદના સુભાષ બ્રિજના 3 સ્પાનને સુરક્ષિત રીતે તોડી પડાયા!
અમદાવાદના સુભાષ બ્રિજના 3 સ્પાનને સુરક્ષિત રીતે તોડી પડાયા!
Published on: 01st July, 2026

અમદાવાદના જૂના સુભાષ બ્રિજના ત્રણ મહાકાય સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ થયું છે. એન્જિનિયરિંગ નિષ્ણાતોની દેખરેખ હેઠળ ‘કન્ટ્રોલ્ડ ડિમોલિશન’ પદ્ધતિથી સ્પાનને નદીના પટમાં ઉતારવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો, બેરિકેડિંગ અને સતત મોનિટરિંગનું કડક પાલન કરાયું હતું. કોઈ અકસ્માત વિના ઓપરેશન પૂર્ણ થતાં તંત્રને મોટી રાહત મળી છે. હવે નદીના પટમાંથી કાટમાળ દૂર કરવાની અને બ્રિજના બાકીના ભાગને તબક્કાવાર તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે.