અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
Published on: 29th June, 2026

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા પહેલાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણે ભારે ચકચાર મચાવી છે. જૂની અદાવતમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસતા બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, વાયરલ થયેલા પથ્થરમારાના વીડિયોમાં FIRમાં ઉલ્લેખ ન હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી છે.