ધોળકામાં વસતી ગણતરી કરતી શિક્ષિકાની હત્યા
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વસતી ગણતરી માટે ગયેલી એક શિક્ષિકાની હત્યાનો ચોંકાવનારો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મૃતક શિક્ષિકા, રીનાબહેન ઝાલા,નો સળગેલી હાલતમાં મૃતદેહ નર્મદા કેનાલ પાસેથી મળ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઘાતકી હત્યામાં મૃતક શિક્ષિકાના જ પતિ, જે પોતે પણ શિક્ષક છે, તેની સંડોવણી સામે આવી છે. ઘરકંકાશના કારણે આવેશમાં આવીને તેણે આ ભયાનક કૃત્ય કર્યું હતું.
ધોળકામાં વસતી ગણતરી કરતી શિક્ષિકાની હત્યા
ભરૂચ જામા મસ્જિદ વિવાદ: સંતોની રેલી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભરૂચની જામા મસ્જિદ જૈન તીર્થ હોવાના દાવા બાદ વિવાદ વકર્યો છે. આજે સંત સમાજ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવશે, જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી જશે. તેઓ ઐતિહાસિક ધરોહરની યોગ્ય જાળવણીની માંગ સાથે આવેદનપત્ર પાઠવશે. આ રેલીને પગલે સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જૈન સમાજનો દાવો છે કે આ સ્થળે પ્રાચીન જૈન તીર્થ 'સમડી વિહાર' હતું. વિવાદ વચ્ચે ભોંયરાની તપાસની માંગ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.
ભરૂચ જામા મસ્જિદ વિવાદ: સંતોની રેલી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષો કરતાં બમણી સ્ત્રીઓ ગુમ!
વડોદરા જિલ્લામાં વર્ષ-2025 અને 2026ના પ્રથમ બે માસમાં ગુમ થનાર વ્યક્તિઓમાં સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં બમણી જણાઈ રહી છે. કુલ 306 વ્યક્તિઓ ગુમ થઈ હતી, જેમાં 135 સ્ત્રીઓ અને 70 પુરુષો (2025માં) તથા 36 સ્ત્રીઓ અને 65 પુરુષો (2026ના પ્રથમ બે માસમાં)નો સમાવેશ થાય છે. જોકે, પોલીસે ગુમ થયેલા 249માંથી 177 (2025) અને 72માંથી 41 (2026) સ્ત્રીઓને શોધી કાઢ્યા છે, જે પુરુષોની સરખામણીમાં અઢી ગણી છે. 56 વ્યક્તિઓ હજી પણ લાપત્તા છે.
વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં પુરુષો કરતાં બમણી સ્ત્રીઓ ગુમ!
સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું કરુણ મોત
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પ્રસિદ્ધ સપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે સાબરમતી નદીમાં નાહવા પડેલો એક કિશોર ઊંડા પાણીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું. આ દુર્ઘટના સવારે બની હતી, જ્યાં કિશોર નદીના જોખમી ધરા વિસ્તારમાં અંદાજ ન લગાવી શકવાને કારણે ડૂબી ગયો. સ્થાનિક લોકો અને ફાયર ટીમે ભારે પ્રયાસો બાદ મૃતદેહ બહાર કાઢ્યો. જાદર પોલીસે મૃતદેહ કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સ્થાનિકો આ વિસ્તારોમાં ચેતવણી બોર્ડ હોવા છતાં જોખમ લેવા બદલ ચિંતિત છે.
સાબરકાંઠાના ઈડરના સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીમાં ડૂબી જતાં કિશોરનું કરુણ મોત
ગુજરાતના રસ્તા પર રોજ 20 મોત: ઓવરસ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના 2024ના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં દરરોજ સરેરાશ 40 માર્ગ અકસ્માતો થાય છે, જેમાં 20 લોકો જીવ ગુમાવે છે. કુલ 15,588 અકસ્માતોમાં 7,717 મૃત્યુ થયા અને 14,000 થી વધુ લોકો ઘાયલ થયા, જેમાં 9,301 અપંગ બન્યા. ઓવરસ્પીડ એ અકસ્માતોનું મુખ્ય કારણ છે, ખાસ કરીને સીધા રસ્તાઓ પર. સાંજે 6 થી 9 વાગ્યા દરમિયાન સૌથી વધુ અકસ્માતો થાય છે. 25 થી 35 વર્ષના યુવાનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. પંચમહાલ અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અકસ્માતો વધ્યા છે, જ્યારે અમદાવાદ શહેર અને ગાંધીનગર જેવા વિસ્તારોમાં ઘટ્યા છે.
ગુજરાતના રસ્તા પર રોજ 20 મોત: ઓવરસ્પીડ બની અકસ્માતોનું મુખ્ય કારણ
શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી
ગોધરામાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' દરમિયાન રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ શિક્ષકોની કાર્યશૈલી અને માનસિકતા પર નિવેદન આપ્યું હતું. આ વિવાદિત નિવેદન બાદ શિક્ષણ જગતમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મંત્રી રમેશ કટારાએ પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત કરી, "મારાથી કાર્યક્રમમાં જે બોલાઈ ગયું એ બદલ હું માફી માગું છું અને મારા શબ્દો પાછા લઉં છું" એમ જણાવી માફી માંગી લીધી છે. તેમણે શિક્ષકોની ભૂખ અને મોબાઈલમાં વ્યસ્ત રહેવા જેવા આક્ષેપો કર્યા હતા, જેના પર શિક્ષક સંગઠનોએ વિરોધ કર્યો હતો.
શિક્ષકો અંગે વિવાદિત નિવેદન બદલ રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માંગી
મનસુખ વસાવા ભાજપના લોકો પર બગડ્યા: 'સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ'
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાયેલી બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો અને હોદ્દેદારો પર ભારે ભરાયા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, ચૂંટણી કે અન્ય કામોમાં વિરોધી પાર્ટી કરતાં પોતાના જ ભાજપના લોકો વધુ નડે છે. આવા તત્વો સામે ચેતવણી આપતા તેમણે કહ્યું કે, યોગ્ય સમય આવશે ત્યારે આવા લોકોને જનતા સામે ખુલ્લા પાડશે. આ ઉપરાંત, તેમણે વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના ગેરકાયદેસર અડ્ડાઓનો મુદ્દો ઉઠાવી, તેમાં ભાજપના કેટલાક લોકોની સંડોવણી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ કર્યો. ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત તમામ લોકોને જાહેરસભા યોજી પ્રજાની વચ્ચે બેનકાબ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી.
મનસુખ વસાવા ભાજપના લોકો પર બગડ્યા: 'સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ'
ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવતા પહેલા ચેતજો, ચોરીના બે કિસ્સા સામે આવ્યા
ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હાઉસ ક્લિનિંગ સર્વિસ બુક કરાવતા પહેલા અત્યંત સાવચેતી રાખવી જરૂરી છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં, સફાઈ કરવા આવેલા બે યુવકો લોકરમાંથી સોનાના દાગીના ચોરી ગયા હતા. આ સર્વિસ સોશિયલ મીડિયા જાહેરાત પરથી બુક કરવામાં આવી હતી. આવી જ એક ઘટના અગાઉ વાડજમાં બની હતી, જેમાં પોલીસે બે યુવકોની ધરપકડ કરી હતી. આ યુવકો ઇન્સ્ટાગ્રામ પર હાઉસ કીપિંગ પ્રોફાઇલ દ્વારા ચોરી કરતા હતા.
ઓનલાઇન હાઉસ ક્લિનિંગ બુક કરાવતા પહેલા ચેતજો, ચોરીના બે કિસ્સા સામે આવ્યા
ભાજપ MLA ભગા બારડ જૂથબંધીથી નારાજ, ધારાસભ્ય પદેથી રાજીનામાની ચીમકી
ગીર સોમનાથના તાલાલાના ભાજપ MLA ભગા બારડે જાહેર સમારોહમાં આંતરિક જૂથબંધી સામે અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, જો લોકો કહેશે તો ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેશે. નામ લીધા વિના ટોચના નેતૃત્વ અને વહીવટી તંત્ર પર નિશાન સાધ્યું. સરકારમાં તેમના કામો અટકાવવામાં આવતા હોવાનો આરોપ લગાવ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાની રીતે કામ કરવા ટેવાયેલા છે અને વિરોધીઓ તેમને કામ કરવા દેતા નથી. ભગા બારડે 2027ની ચૂંટણી અંગે પણ ટિપ્પણી કરી, જે સ્થાનિક સ્તરે ભાજપમાં જૂથબંધી સૂચવે છે.
ભાજપ MLA ભગા બારડ જૂથબંધીથી નારાજ, ધારાસભ્ય પદેથી રાજીનામાની ચીમકી
ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ, CCTV તોડ્યા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ધોળકા તાલુકાના કોઠ ગામે મોડી રાત્રે 4 હથિયારધારી અજાણ્યા લૂંટારૂઓએ એક ઘરમાં ઘૂસીને દંપતી પર હુમલો કર્યો. લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી, ગળા પર છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી. તેઓએ સોના-ચાંદીના દાગીના, 90,000 રોકડા અને 3 મોંઘા મોબાઇલ સહિત કુલ ₹2,10,500 ની મત્તા લૂંટી લીધી. પુરાવા નાશ કરવા માટે તેમણે CCTV કેમેરા પણ તોડી નાખ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી, આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ, CCTV તોડ્યા
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી
ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે વિરોધ દર્શાવવા માટે, કોંગ્રેસ આજે (15મી જૂન) અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી 1111 ટ્રેક્ટરની રેલી યોજી રહી છે. રાજ્યભરના ખેડૂતો મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લેશે. કોંગ્રેસનો આરોપ છે કે સરકારની આયોજનહીન નીતિઓ અને અધિકારીઓના દબાણને કારણે ખેડૂતો પરેશાન છે. કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે આ 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી' સવારે 11 વાગ્યે શરૂ થશે. આ રેલી દ્વારા ખેડૂતો પોતાની માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરશે.
ભાજપ સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો: 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતોની રેલી
નર્મદા જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 952 કેસ
નર્મદા જિલ્લામાં મે મહિના દરમિયાન આરટીઓ વિભાગે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ 952 કેસ કર્યા છે, જેનાથી રૂ. 27.04 લાખનો દંડ વસૂલાયો છે. આમાં રોડ સેફ્ટી સંબંધિત 324 કેસ અને PUC વગરના વાહનોના 161 કેસ સૌથી વધુ નોંધાયા છે. પરમિટ વિના વાહન ચલાવવા બદલ 9 લાખ અને ઓવરલોડ વાહનો પર 5.79 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સુરક્ષા માટે વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે.
નર્મદા જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 952 કેસ
કોર્પોરેટ નોકરી છોડી, 11 એકરમાં ‘જીવંત જંગલ’ સર્જી
મેકેનિકલ એન્જિનિયર અને MBA થયેલા પાર્થ ગુપ્તાએ કોર્પોરેટ જગત છોડી નર્મદાના માંગરોળ ગામમાં 11 એકરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેઓએ 'પર્માકલ્ચર', 'એગ્રોફોરેસ્ટ્રી' અને 'નેચરલ ફાર્મિંગ' પદ્ધતિઓ અપનાવી 25 થી વધુ પ્રકારના પાકો ઉગાડ્યા છે, જેમાં ફળો, શાકભાજી અને ઔષધીય છોડનો સમાવેશ થાય છે. આ "જીવંત જંગલ" મોડેલ દ્વારા, તેઓ કેમિકલ અને ટ્રેક્ટર વિના ખેતી કરે છે, જેનાથી જમીનની ઉર્વરતા વધે છે અને પાણીનો વપરાશ ઘટે છે. આ પદ્ધતિથી તેઓ મહિને 30 થી 40 હજારની આવક મેળવે છે અને 100 થી વધુ ગ્રાહકોનું વ્હોસ્ટએપ ગ્રુપ બનાવી સીધું વેચાણ કરે છે.
કોર્પોરેટ નોકરી છોડી, 11 એકરમાં ‘જીવંત જંગલ’ સર્જી
પાટણ નગરપાલિકા સંચાલિત પંમ્પીંગ સ્ટેશનની કુંડી ફાટતાં ખેતરમાં દુષિત પાણીની રેલમછેલ
પાટણમાં નગરપાલિકા સંચાલિત અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ પંમ્પીંગ સ્ટેશનની મુખ્ય કુંડી ફાટતાં દુષિત પાણી નજીકના ખેતરમાં ફેલાઈ ગયું છે. છેલ્લા 6 મહિનાથી લીકેજ થતું હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પગલાં ન લેવાતાં લોકોમાં રોષ છે. આ દુષિત પાણી પીવાના પાણીની કેનાલમાં ભળી જવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરસેવક દિપક પટેલે સત્તાધિશોને તાત્કાલિક સ્થળ મુલાકાત કરવા જણાવ્યું છે.
પાટણ નગરપાલિકા સંચાલિત પંમ્પીંગ સ્ટેશનની કુંડી ફાટતાં ખેતરમાં દુષિત પાણીની રેલમછેલ
ભરૂચમાં મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નર્મદા નદીમાં મિત્રો સાથે નહાવા પડેલા 22 વર્ષીય માર્વિન પટેલ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. દોઢ દિવસની શોધખોળ બાદ રવિવારની સાંજે તેનો મૃતદેહ મળ્યો હતો. પરિવારજનોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. સ્થાનિક તરવૈયાઓ અને ભરૂચ ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી હતી. અંતે, અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ પાસે એક મૃતદેહ મળી આવ્યો હતો, જેની ઓળખ માર્વિન પટેલ તરીકે થતાં પરિવારમાં શોક છવાયો હતો.
ભરૂચમાં મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત
અંકલેશ્વરનો રેવા અરણ્ય પ્રોજેક્ટ: 25,000 વૃક્ષો બન્યા 75 પક્ષી-પ્રાણી પ્રજાતિઓનું આશ્રયસ્થાન
ભરૂચ અંકલેશ્વર નજીક બોરભાઠા બેટ પાસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા શરૂ કરાયેલ રેવા અરણ્ય પ્રોજેક્ટ હવે જૈવિક વિવિધતા ધરાવતો એક પરિપક્વ પ્રોજેક્ટ બન્યો છે. મિયાવાંકી પદ્ધતિથી ઉછેર કરાયેલા 25,000 થી વધુ વૃક્ષોએ આ વિસ્તારને જંગલ જેવો દેખાવ આપ્યો છે. અહીં 75 જેટલી પક્ષીઓ અને પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ આશ્રય મેળવે છે. સ્થાનિક બર્ડ લવર્સ ગ્રુપે પક્ષીઓના અવાજ રેકોર્ડ કર્યા અને નેચર લવર્સ ફોટોગ્રાફર્સે તેમની તસવીરો કેદ કરી. આ પ્રોજેક્ટમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો નથી. ગ્રાસિમ ફાયબર, ડેક્કન ફાઇન કેમ, સોલ્વે, શુભશ્રી પિગમેન્ટ, પી આઈ ઈન્ડસ્ટ્રીઝ, ગોદરેજ જેવી અનેક કંપનીઓએ CSR અંતર્ગત સહયોગ આપ્યો છે.
અંકલેશ્વરનો રેવા અરણ્ય પ્રોજેક્ટ: 25,000 વૃક્ષો બન્યા 75 પક્ષી-પ્રાણી પ્રજાતિઓનું આશ્રયસ્થાન
અંકલેશ્વર-હાંસોટના ખેડૂતોની ગાંધીનગર ટ્રેક્ટર કૂચ
અંકલેશ્વર અને હાંસોટ પંથકના ખેડૂતો, પોષણક્ષમ ભાવ, જમીનનું વળતર અને દેવા માફી સહિત વિવિધ માંગણીઓ માટે ગાંધીનગર ખાતે યોજાનારી રેલીમાં ભાગ લેવા ટ્રેક્ટર સાથે કૂચ કરી રહ્યા હતા. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ 25 ટ્રેક્ટર અને 50 કારના કાફલા સાથે નીકળેલા ખેડૂતોને અંકલેશ્વર નજીક પોલીસે અટકાવ્યા હતા. પોલીસે 10થી વધુ ખેડૂતોની અટકાયત કરતાં તંગદિલી સર્જાઈ હતી અને ખેડૂતો રસ્તા પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
અંકલેશ્વર-હાંસોટના ખેડૂતોની ગાંધીનગર ટ્રેક્ટર કૂચ
અંકલેશ્વરમાં લ્યૂપિન દ્વારા યોજાયો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
અંકલેશ્વરમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2026 નિમિત્તે લ્યૂપિન લિમિટેડ દ્વારા જિનવાલા શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં લ્યૂપિનના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મળી પાણી બચાવવા, વૃક્ષો વાવવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પ્રકૃતિના સંરક્ષણના મહત્વ પર ચર્ચા કરી. શાળાના પ્રિન્સિપાલ અને સ્ટાફે આવા કાર્યક્રમો યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે પ્રશંસનીય ગણાવ્યા. લ્યૂપિને ઈવેન્ટ કોઓર્ડિનેટર ગજેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માન્યો.
અંકલેશ્વરમાં લ્યૂપિન દ્વારા યોજાયો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ
દેડિયાપાડા છાત્રાલયમાં જરૂરિયાતમંદ દીકરીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું
અંકલેશ્વર: સાથી ફઉન્ડેશન અને ઝાયડસ લાઈફ્ સાયન્સ યુનિટ-2 દ્વારા દેડિયાપાડા ખાતે આવેલ આદિવાસી જન સેવા તીર્થ છાત્રાલયની જરૂરિયાતમંદ દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે. છાત્રાલયમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું છે. સાથી ફઉન્ડેશનના ચેરપર્સન ફલ્ગુનીબેન પટેલ વિદેશમાં હોવા છતાં, તેમણે ટેકનોલોજીના માધ્યમથી સંપર્કમાં રહીને આ સામાજિક જવાબદારી નિભાવી હતી.
દેડિયાપાડા છાત્રાલયમાં જરૂરિયાતમંદ દીકરીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અર્પણ કરાયું
વિશ્વ રક્તદાતા દિવસ: રાજપીપળામાં જનજાગૃતિ માટે યોજાઈ ભવ્ય રેલી
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તા. 14 જૂન, 2026ના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત રક્તદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે એક પ્રેરણાદાયી રેલીનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય શાખા અને જિલ્લા પંચાયત, નર્મદા દ્વારા આયોજિત આ કાર્યક્રમને ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, નગરપાલિકા પ્રમુખ શિવાનીબહેન મહેતા અને જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જનકકુમાર માઢક દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. "રક્તદાન કરો, જીવન બચાવો - આશાનો દીવો પ્રગટાવો" જેવા ઉત્સાહપૂર્ણ સૂત્રો સાથે, નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો અને સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
વિશ્વ રક્તદાતા દિવસ: રાજપીપળામાં જનજાગૃતિ માટે યોજાઈ ભવ્ય રેલી
ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ અને યોગ માટે 'વોક ફેર પીસ' કાર્યક્રમ યોજાયો
ભરૂચના ઝાડેશ્વર સ્થિત બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ દ્વારા 'વોક ફેર પીસ એન્ડ યોગ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ૧૫૦થી વધુ નાગરિકો જોડાયા હતા, જેમણે શાંતિ અને યોગનો સંદેશ ફેલાવવામાં યોગદાન આપ્યું. બી.કે. પ્રભા દીદીના માર્ગદર્શન હેઠળ, બી.કે. નીમા દીદીએ રાજયોગ અને મુરલી ક્લાસ લીધા, ત્યારબાદ ગુજરાત યોગ બોર્ડના બી.કે. સુરેન્દ્રભાઈએ યોગાભ્યાસ કરાવ્યો. વિશેષ અતિથિ પ્રકાશચંદ્ર પટેલે વોક ફેર પીસ એન્ડ યોગા રેલીને ફ્લેગ ઓફ્ આપી પ્રસ્થાન કરાવ્યું.
ભરૂચના ઝાડેશ્વર બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ અને યોગ માટે 'વોક ફેર પીસ' કાર્યક્રમ યોજાયો
ભરૂચમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સફળતા માટે અનુષ્ઠાન સેમિનાર યોજાયો.
શ્રાવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કે.જે.ચોકસી લાઈબ્રેરીમાં મોટિવેશનલ સ્પીકર પરેશભાઈ ભટ્ટ દ્વારા અનુષ્ઠાન સેમિનાર યોજાયો. આ સેમિનારમાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ માટે અસરકારક અભ્યાસ પદ્ધતિ, સમયનું યોગ્ય આયોજન, નિયમિત વાંચન-લેખન અને સકારાત્મક જીવનશૈલી વિશે માર્ગદર્શન અપાયું. વાલીઓને પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં મદદરૂપ થવા પ્રેરણા અપાઈ. વિદ્યાર્થીઓએ સફળતાના સંકલ્પ સાથે શૈક્ષણિક લક્ષ્યાંકો નક્કી કર્યા.
ભરૂચમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સફળતા માટે અનુષ્ઠાન સેમિનાર યોજાયો.
અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના નિર્માણના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલય (GSEB વિભાગ) ખાતે અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્યા સુષ્મા ચૌધરી, ઉપાચાર્યા અંજલી પટેલ તથા શિક્ષકગણની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ વૃક્ષોના જતન, સંવર્ધન અને પર્યાવરણની સુરક્ષા માટે પ્રતિજ્ઞા લીધી હતી. વિદ્યાર્થીઓએ લીમડા જેવા ઔષધીય અને પર્યાવરણમિત્ર વૃક્ષોના રોપાઓ તેમજ એલોવેરા જેવા ઉપયોગી છોડનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
અંકલેશ્વર ગટ્ટુ વિદ્યાલયખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
વડોદરાના લામડાપુરા ગામે ભાડૂતી ગુંડાઓનો આતંક
સાવલી તાલુકાના લામડાપુરા ગામે મહિલા સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલી બાદ ભાડૂતી ગુંડાઓને બોલાવીને મારક હથિયારો સાથે વાહનોમાં તોડફોડ કરાવી આંતક મચાવ્યો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. ગ્રામજનો દ્વારા ભાડૂતી ગુંડાઓ અને સરપંચ પુત્ર સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના લામડાપુરા ગામે ભાડૂતી ગુંડાઓનો આતંક
છોટાઉદેપુરના સિહોદ બ્રિજ નિર્માણની મંદગતિની કોંગ્રેસ દ્વારા સમીક્ષા
સિહોદ અને પાવીજેતપુર વચ્ચે ભારજ નદી પર તૂટેલા બ્રિજને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજના પુનઃનિર્માણનું કામ મંદગતિએ ચાલતું હોવાના આક્ષેપો વચ્ચે જિલ્લા કોંગ્રેસ સમિતિએ સ્થળ નિરીક્ષણ કર્યું. આગેવાનોએ હાલના ડાયવર્ઝનની તકલાદી સ્થિતિ અને વૈકલ્પિક માર્ગની ગુણવત્તા પર પ્રશ્નો ઉઠાવ્યા. ચોમાસા પહેલાં સુરક્ષિત વૈકલ્પિક માર્ગ નહીં મળે તો હજારો લોકો માટે સંપર્ક વ્યવસ્થા ખોરવાઈ શકે છે, જે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને જનજીવન પર ગંભીર અસર કરશે. કોંગ્રેસે બ્રિજનું કામ ઝડપી અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવાની તેમજ ડાયવર્ઝનની મરામતની માંગ કરી. તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી.
છોટાઉદેપુરના સિહોદ બ્રિજ નિર્માણની મંદગતિની કોંગ્રેસ દ્વારા સમીક્ષા
બનાસકાંઠાના કુવાણા હત્યા કેસમાં 5 આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું
બનાસકાંઠાના લાખણી તાલુકાના કુવાણા ગામે ત્રણ દિવસ પહેલા શામળભાઇ ભીલની થયેલી હત્યાના ચકચારી કેસમાં પોલીસે 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. રવિવારે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, આરોપીઓને ઘટના સ્થળ - કુવાણા ગામ - પર લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા Crimescene Reconstruction કરવામાં આવ્યું, જ્યાં આરોપીઓએ કેવી રીતે હત્યાને અંજામ આપ્યો અને ક્યાં ભાગી ગયા તે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી. પોલીસે પંચોની હાજરીમાં સમગ્ર ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.
બનાસકાંઠાના કુવાણા હત્યા કેસમાં 5 આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું
પાલનપુર હાઈવે સર્કલ પાસે શટલિયાઓનો અડીંગો
પાલનપુરમાં જાહેર રસ્તાઓ પર પાર્કિંગની અછતને કારણે વાહનચાલકો ગમે ત્યાં વાહન પાર્ક કરતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ખાસ કરીને નવા બસપોર્ટ, હાઈવે સર્કલ પાસે પેટ્રોલપંપ, ડીસા હાઈવે અને સર્કિટ હાઉસ પાસે શટલિયાઓ રસ્તા પર વાહન પાર્ક કરી મુસાફરોને લેવા-મુકવા ઉભા રહે છે, જેના કારણે ટ્રાફિકને અડચણ થાય છે અને અકસ્માતનો ભય રહે છે. ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી ન થતાં લોકોને હાલાકી ભોગવવી પડે છે. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો જાગૃત નાગરિકો ધરણા કરશે.
પાલનપુર હાઈવે સર્કલ પાસે શટલિયાઓનો અડીંગો
ખેડા પાસે લકઝરી બસ પલટી: 1 મહિલાનું મોત, 36 યાત્રિકો ઈજાગ્રસ્ત
અધિક માસમાં ડાકોર અને ગળતેશ્વર દર્શન માટે જતા ભાવિકોનો ધસારો હતો. ત્યારે સાણંદથી નીકળેલી સહજાનંદ ટ્રાવેલ્સની ખાનગી લકઝરી બસ ખેડા જિલ્લાના અંબાવ પાસે પલટી ગઈ. બસ ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. દુર્ઘટનામાં એક 65 વર્ષીય મહિલા યાત્રાળુનું મોત થયું છે, જ્યારે 36 થી વધુ યાત્રિકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સેવાલિયા સીએચસી અને ઠાસરા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ખેડા પાસે લકઝરી બસ પલટી: 1 મહિલાનું મોત, 36 યાત્રિકો ઈજાગ્રસ્ત
અમદાવાદના હાંસલપુર વિસ્તારમાંથી બોલેરો પીકઅપ વાહન ચોરીમાં જિલ્લા LCBએ બે આરોપીને દબોચ્યા
અમદાવાદ જિલ્લા LCB ટીમ દ્વારા તા.13મીએ જિલ્લા ગ્રામ્યમાં તપાસ હાથ ધરાઈ હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે હાંસલપુર પોલીસ મથકે 2026માં નોંધાયેલ વાહન ચોરીના ગુનાના આરોપી નિયાઝ મહેબુબશા કમાલશા રહે.સમી,જિ.પાટણ અને અકતરશા અબ્દુલશા હૈદરશા દિવાન રહે.સરખેજ-અમદાવાદ બંનેને ઝડપી પાડી વાહનચોરીના ગુનાનો મુદ્દામાલ તરીકે બોલેરો મેક્સી પીકઅપ વાહન કિંમત ર લાખ રૂપિયાનો મુદ્દામાલ રીકવર કરી એલ.સી.બી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના હાંસલપુર વિસ્તારમાંથી બોલેરો પીકઅપ વાહન ચોરીમાં જિલ્લા LCBએ બે આરોપીને દબોચ્યા
કચ્છ હાઈવે પર ટ્રેક્ટર લઈને ખેડૂતોનો ગાંધીનગર તરફ રેલી
મોરબી જિલ્લામાં ખાનગી કંપનીની હેવી વીજ લાઈન કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ ભભૂક્યો છે. જમીન અને ઊભા પાકના નુકસાન સામે યોગ્ય વળતરની માંગણી સાથે હળવદ તાલુકા અને મોરબી જિલ્લાના અનેક ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર જવા રવાના થયા છે. કચ્છ અમદાવાદ હાઈવે પર જય જવાન જય કિસાનના નારા સાથે ટ્રેક્ટરની લાંબી કતારો જોવા મળી રહી છે. કંપની દ્વારા પૂરતું વળતર ન મળતા ખેડૂતોએ ટ્રેક્ટર કૂચ શરૂ કરી છે અને પોતાની માંગણીઓ સંતોષાય ત્યાં સુધી ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
કચ્છ હાઈવે પર ટ્રેક્ટર લઈને ખેડૂતોનો ગાંધીનગર તરફ રેલી
વડોદરા હાથીખાના અનાજ માર્કેટમાં બુકાનીધારી તસ્કરોનો આતંક
વડોદરા શહેરના હાથીખાના એપીએમસી અનાજ માર્કેટમાં શનિવારની રાત્રે ત્રણ બુરખાધારી તસ્કરોએ 20 મિનિટના ટૂંકા ગાળામાં 11 દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ કેશ કાઉન્ટર અને ગલ્લાના તાળા તોડી લગભગ રૂ. 11.17 લાખની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા. આ ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી, અને રવિવારે સવારે દુકાન માલિકોને જાણ થતાં પોલીસ તપાસ શરૂ કરાઈ છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ તસ્કરો દુકાનોના તાળા તોડતા દેખાઈ રહ્યા છે, જ્યારે અન્ય બે બહાર બાઇક સાથે રાહ જોઈ રહ્યા હતા.