ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યવ્યાપી દારૂબંધીના આદેશ
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યવ્યાપી દારૂબંધીના આદેશ
Published on: 19th August, 2026

ભાવનગરના ખરકડી ગામમાં નકલી દારૂ પીવાથી 4 લોકોના મોત અને 18 લોકોની તબિયત ગંભીર થતાં રાજ્ય સરકાર સફાળી જાગી છે. આ ઘટના બાદ સરકારે દારૂબંધીના કડક પાલન માટે રાજ્યવ્યાપી દરોડાના આદેશ આપ્યા છે. ભાવનગરના જિલ્લા પોલીસ વડા (SP) પાસેથી આ બનાવ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસે બુટલેગરો અને સપ્લાયરો સહિત કુલ 13 લોકોને ઝડપી પાડ્યા છે. આ તપાસ SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) ને સોંપવામાં આવી છે.