અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ: ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટવાયો
અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ: ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર અટવાયો
Published on: 25th July, 2026

અમદાવાદમાં બે દિવસના ધોધમાર વરસાદને કારણે અમદાવાદ-રાજકોટ હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અમદાવાદથી બગોદરા સુધીનો આ મહત્વપૂર્ણ માર્ગ જળબંબાકાર થતાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે. લોકોને બગોદરા કે રાજકોટ જવા માટે ધોલેરા એક્સપ્રેસ હાઇવેનો વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ, પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે.