વરસાદી માહોલમાં "મેડ ઇન ઇંગ્લેન્ડ" રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો
વરસાદી માહોલમાં "મેડ ઇન ઇંગ્લેન્ડ" રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો
Published on: 25th July, 2026

જામનગરમાં દેવપોઢી એકાદશીના શુભ અવસરે, વરસાદી માહોલ વચ્ચે ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક 217મો વરઘોડો ભવ્ય રીતે નીકળ્યો. બેન્ડવાજા, ઢોલ-નગારા અને જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ દ્વારા પૂજા બાદ વરઘોડાનું પ્રસ્થાન થયું. માંડવી ઇમારતના રિસ્ટોરેશન કાર્ય વચ્ચે પણ પરંપરા જાળવી, ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી માંડવી નીચેથી પસાર કરાયા. વરઘોડો વિઠ્ઠલનાથજી મંદિરથી કેદારેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યો, જ્યાં શ્રી હરિ અને શ્રી હરના મિલનનો પ્રસંગ ઉજવાયો.