છોટાઉદેપુરમાં AEIAT પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોનો ઉત્કૃષ્ટ દેખાવ
છોટાઉદેપુરમાં AEIAT પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોનો ઉત્કૃષ્ટ દેખાવ
Published on: 03rd August, 2026

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક (AEIAT) ની 208 જગ્યાઓ માટે જાહેર થયેલી પરીક્ષામાં નસવાડી તાલુકાના શિક્ષકોએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગૃપાચાર્ય રાઠોડ કિશનકુમાર ખેમાભાઈએ પ્રાથમિક પરીક્ષામાં 25991 ઉમેદવારોમાંથી 67મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં પણ તેમણે 1342 ઉમેદવારોમાંથી ટોપ 35 માં સ્થાન મેળવી 129.25 ગુણ પ્રાપ્ત કર્યા. વહીવટી નિયમોના પેપર 2 માં 80.25 ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં ટોચનો ક્રમ મેળવી પોતાની વહીવટી કુશળતા દર્શાવી છે.