ઢાઢર નદીના પૂરે ડભોઈના 10 ગામોમાં 600 વીઘાનો પાક તબાહ
ઢાઢર નદીના પૂરે ડભોઈના 10 ગામોમાં 600 વીઘાનો પાક તબાહ
Published on: 03rd August, 2026

ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં દેવ ડેમમાંથી અચાનક પાણી છોડવાને કારણે આવેલા પૂરે કાંઠા વિસ્તારના 10થી વધુ ગામોમાં ભારે તબાહી મચાવી છે. પાણી ઓસર્યા બાદ 500થી 600 વીઘા જેટલા જમીન પરનો મરચી, કપાસ અને શાકભાજી જેવા પાક સંપૂર્ણપણે કોહવાઈને નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતાં તેમને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ગ્રામજનોએ તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી છે.