જવેલર્સમાંથી રૂ.17.24 લાખના દાગીનાની ચોરી
જવેલર્સમાંથી રૂ.17.24 લાખના દાગીનાની ચોરી
Published on: 17th September, 2026

મોરબીના રાધા કૃષ્ણ જવેલર્સમાંથી દીવાલમાં બાકોરું પાડી રૂ.17.24 લાખના દાગીનાની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે ઉકેલ્યો છે. 250 જેટલા સીસીટીવી અને નેત્રમ કેમેરાની તપાસ બાદ પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે. આરોપીઓએ ચોરી કરેલો સોના-ચાંદીનો તમામ મુદ્દામાલ અને વપરાયેલી બાઇક પાણીના ટાંકામાંથી મળી આવી છે. કુલ રૂ.17.74 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.