ગાંધીનગરથી દોડતી ટ્રેનોના જનરલ કોચમાં સેફ્ટી ગ્રીલ ગાયબ
ગાંધીનગરથી દોડતી ટ્રેનોના જનરલ કોચમાં સેફ્ટી ગ્રીલ ગાયબ
Published on: 17th September, 2026

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળની ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા ચિંતાનો વિષય બની છે. ગાંધીનગર કેપિટલથી ઉપડતી ટ્રેનોના જનરલ કોચમાં બારીઓ પર જરૂરી સેફ્ટી ગ્રીલ (પ્રોટેક્શન વોલ) ગાયબ હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ એક બાળકી ચાલુ ટ્રેનમાં બારીમાંથી પડી જવાની ઘટના બની હોવા છતાં રેલવે પ્રશાસને ધ્યાન આપ્યું નથી. જનરલ કોચમાં ભીડ અને બાળકો માટે આ ગ્રીલ ન હોવી અત્યંત જોખમી છે. મુસાફરોએ તાત્કાલિક ચકાસણી અને મજબૂત ગ્રીલ લગાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં દુર્ઘટનાઓ ટાળી શકાય.