જામનગરમાં ગણેશ વિસર્જનના ત્રીજા દિવસે 328 મૂર્તિઓનું કુંડમાં વિસર્જન થયું
જામનગરમાં ગણેશ વિસર્જનના ત્રીજા દિવસે 328 મૂર્તિઓનું કુંડમાં વિસર્જન થયું
Published on: 17th September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવ નિમિત્તે નિર્ધારિત કરવામાં આવેલા બંને વિસર્જન કુંડમાં ગણેશ મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે. તા.16 સપ્ટેમ્બરના રોજ, ત્રીજા દિવસે, બંને કુંડમાં કુલ 328 ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું. જેમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં 274 અને સરદાર રિવેરા કુંડમાં 54 મૂર્તિઓનો સમાવેશ થાય છે. આમ, ત્રણ દિવસમાં કુલ 396 મૂર્તિઓનું વિસર્જન બંને કુંડમાં પૂર્ણ થયું છે, જે પર્યાવરણની જાળવણી સાથે ભગવાન ગણેશની વિદાય સુનિશ્ચિત કરે છે.