અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા!
અમરેલી જિલ્લાના પેટ્રોલ પંપો પર 'નો સ્ટોક'ના બોર્ડ લાગ્યા!
Published on: 19th May, 2026

અમરેલી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સાવરકુંડલા, બાબરા અને વડીયા સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી છે અને મોટાભાગના પંપોએ ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવી દીધા છે. ખેડૂતોને 200 લીટર ડીઝલ આપવાના નિયમ હોવા છતાં માત્ર મર્યાદિત જથ્થો આપવામાં આવતા રોષ ફેલાયો છે. ખેતીની સીઝન દરમિયાન ડીઝલની અછતને કારણે ટ્રેક્ટર અને કૃષિ સાધનોનું કામ પ્રભાવિત થઈ રહ્યું છે. લોકો કલાકો સુધી રાહ જોઈ રહ્યા છે અને તંત્ર સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે.