ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
ST બસ રૂટ બદલાતા અમદાવાદ-ભાવનગર, સુરત મુસાફરી સસ્તી અને ઝડપી.
Published on: 19th May, 2026

અમદાવાદ-ભાવનગરની તમામ એસટી વોલ્વો બસનો રૂટ બદલી દેવાયો છે. અગાઉ અમદાવાદથી દરરોજ બાવળા, ધોળકા, ધંધુકા થઈને ભાવનગર સુધી વોલ્વોની 12 રાઉન્ડ ટ્રિપનું સંચાલન કરાતું હતું. તેની જગ્યાએ હવે આ તમામ ટ્રિપ ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ કરી દેવાઈ છે. એટલે હવે ભાવનગરની તમામ વોલ્વો બસ ધોલેરા એક્સપ્રેસવે થઈને જશે. જેથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનો અંતર ઘટી જતા ભાડામાં પણ 14 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 351 રૂપિયાના બદલે હવે મુસાફરોએ 337 રૂપિયા ટિકિટ ભાડું ચૂકવવાનું રહેશે.