એનાલોગ પનીર પ્રતિબંધ: સબ્જી, પિત્ઝા, સેન્ડવીચ મોંઘા થશે, દૂધની માગ વધશે
એનાલોગ પનીર પ્રતિબંધ: સબ્જી, પિત્ઝા, સેન્ડવીચ મોંઘા થશે, દૂધની માગ વધશે
Published on: 07th August, 2026

રાજ્ય સરકાર દ્વારા એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂકવાના નિર્ણયની ગ્રાહકો પર મોટી અસર પડશે. અત્યાર સુધી લારી-ગલ્લાં અને નાના કિચનમાં એનાલોગ પનીર-ચીઝનો ઉપયોગ થતો હતો, જેના કારણે વાનગીઓ સસ્તી મળતી હતી. હવે શુદ્ધ 'મિલ્ક પનીર' અને ઓરિજિનલ ચીઝ-બટર ફરજિયાત હોવાથી, પંજાબી સબ્જી, સેન્ડવીચ અને પિત્ઝા જેવી વાનગીઓમાં ₹20 થી ₹60 સુધીનો ભાવવધારો થશે. આ નિર્ણય સ્વાસ્થ્ય માટે સારો છે, પરંતુ લોકોએ અસલી સ્વાદ માટે વધુ ખર્ચ કરવો પડશે. સુરતમાં દૂધની માંગમાં પણ મોટો ઉછાળો આવવાની શક્યતા છે, કારણ કે હવે પનીર-ચીઝ બનાવવા માટે શુદ્ધ દૂધનો જ ઉપયોગ થશે.