બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ગુજરાત પોલીસે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ 500થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જે માનવ તસ્કરી અને નકલી દસ્તાવેજોના મોટા નેટવર્કનો પર્દાફાશ કરે છે. ખેતર, નદી અને જંગલ માર્ગે ₹40 હજારમાં ઘૂસણખોરી કરીને ગુજરાતમાં આવતા આ લોકો, નોકરી અને બ્યુટીપાર્લરના નામે દેહવેપારમાં ધકેલાઈ જાય છે. તેઓ તેમની કમાણી bKash(બિકેશ), UPI અને અન્ય માધ્યમો દ્વારા વતનમાં મોકલે છે, જેમાં એજન્ટો મોટું કમિશન લે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરી: ગુજરાતમાં નોકરી, દેહવેપાર અને પૈસા મોકલવાની રણનીતિનો પર્દાફાશ
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધનો ખર્ચ અમેરિકાના ટેક્સપેયર્સ પાસેથી વસૂલવાની તૈયારીમાં છે. તેમણે અમેરિકન સંસદ (કોંગ્રેસ) પાસે 87.6 અબજ ડોલર (આશરે 8.3 લાખ કરોડ રૂપિયા)ના વધારાના ફંડની મંજૂરી માગી છે, જેનો મોટો હિસ્સો ઈરાન સામેના યુદ્ધ અને સૈન્ય ખર્ચ માટે વપરાશે. આ માગણી સામે સંસદમાં ભારે હોબાળો મચી ગયો છે. આ રકમમાંથી 67.15 અબજ ડોલર ડિફેન્સ ખર્ચ માટે છે, જ્યારે 21 અબજ ડોલર દારૂગોળો ખરીદવા અને સૈન્ય તાકાત વધારવા માટે વપરાશે.
ઈરાન યુદ્ધનો ખર્ચ જનતા પાસેથી વસૂલશે ટ્રમ્પ?
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
સુરતના નાસીરનગરમાં થયેલા વિવાદિત ડિમોલિશન મામલે 26 પીડિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજદારોનો આરોપ છે કે કોઈ કાનૂની નોટિસ કે પ્રક્રિયા વિના 150થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા, પોલીસ અને ટોરેન્ટ પાવરની ભૂમિકાને લઈને કડક સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે પૂછ્યું કે જો પાલિકાએ કાર્યવાહી નહોતી કરી તો તેના અધિકારીઓ સ્થળ પર કેમ હાજર હતા. SOGના DCPને પણ આગામી સુનાવણીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જ્યારે કેસની વધુ સુનાવણી હવે સોમવારે થશે.
સુરત નાસીરનગર ડિમોલિશન પર હાઈકોર્ટ લાલઘૂમ
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના દેવળિયા ગામ નજીક શાળાએથી ઘરે પરત ફરી રહેલી ચાર માસૂમ વિદ્યાર્થિનીઓને એક બેફામ ગતિએ આવતા બુલેટચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ૧૧ વર્ષીય રોશની ઠાકોરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અંકિતા, રીના અને જાનવી નામની અન્ય ત્રણ બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પીડિત પરિવારનો આરોપ છે કે બુલેટચાલક દારૂના નશામાં ધૂત હતો. આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને પરિવારે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદમાં નશામાં ધૂત બુલેટચાલકે 4 વિદ્યાર્થિનીઓને કચડી, 11 વર્ષીય રોશનીનું મોત
ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન!
વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ ભારતમાં વર્ષ ૨૦૨૬થી ૨૦૩૦ વચ્ચે ૪૮ અબજ ડૉલરનું મોટું રોકાણ કરવાની જાહેરાત કરી છે. અગાઉ કંપનીએ આ સમયગાળા માટે ૩૫ અબજ ડૉલરના રોકાણની યોજના બનાવી હતી, જેમાં હવે વધારો કરાયો છે. આ સાથે ૨૦૧૦થી ૨૦૩૦ સુધીમાં ભારતમાં એમેઝોનનું કુલ રોકાણ ૮૮ અબજ ડૉલર સુધી પહોંચી જશે. આ રકમ ઈ-કોમર્સ નેટવર્ક, કોમર્શિયલ ઓપરેશનલ અને ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના સેક્ટરોમાં રોકાણ કરવામાં આવશે, જે ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
ભારતમાં 48 અબજ ડોલરનું રોકાણ કરશે એમેઝોન!
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર.
ભારતીય ક્રિકેટ ટીમ ૨૬ જૂનથી આયર્લેન્ડ પ્રવાસ પર બે મેચોની T20 સિરીઝ રમશે, પરંતુ તેની શરૂઆતના એક દિવસ પહેલા મેચના સમયમાં મોટો ફેરફાર કરાયો છે. ૨૮ જૂને રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા T20 વર્લ્ડ કપ મેચને કારણે આ નિર્ણય લેવાયો છે. અગાઉ સાંજે ૭ વાગ્યે શરૂ થનારી બંને T20 મેચો હવે ભારતીય સમય અનુસાર સાંજે ૬ વાગ્યે શરૂ થશે. આ બંને મેચ બેલફાસ્ટમાં રમાશે. આ સિરીઝ દરમિયાન આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશી ભારત માટે સૌથી નાની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કરવાનો રેકોર્ડ બનાવી શકે છે.
IND vs IRE: ભારત-આયર્લેન્ડ T20 સિરીઝના સમયમાં થયો ફેરફાર.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ભારત સરકારના પર્સોનેલ, જાહેર ફરિયાદ, તાલીમ વિભાગ, અને પેન્શન મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્ય સનદી સેવા (GAS)ના 17 જેટલા અધિકારીઓને ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)માં બઢતી આપવામાં આવી છે. આ નિમણૂકો 01 જાન્યુઆરી 2025 થી 31 ડિસેમ્બર 2025 વચ્ચે ખાલી પડેલી જગ્યાઓ માટે કરવામાં આવી છે. ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ અધિકારીઓને ગુજરાત કેડર ફાળવી IAS કેડરમાં પ્રોબેશન પર નિમણૂક આપવામાં આવી છે.
ગુજરાતના 17 GAS અધિકારીઓને IAS તરીકે બઢતી
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક પલટો આવવાની આગાહી કરી છે. આજે સાંજ સુધીમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને સ્થાનિક વાતાવરણીય દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી: અનેક વિસ્તારોને અસર
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
ઉત્તર રાજસ્થાન પર સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન અને ચોમાસુ ટ્રફની સક્રિય અસરના કારણે હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૫ જૂનથી શરૂ થતા આ અઠવાડિયા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ મોસમી સિસ્ટમ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી ચોમાસાને વેગ આપશે, જે ગરમીથી પરેશાન નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે તેમજ ચોમાસુ વાવેતર કરતા ખેડૂતો માટે અત્યંત ફાયદાકારક નીવડશે.
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘમહેરની આગાહી.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
બનાસકાંઠા જિલ્લામાં સરકારી યોજના હેઠળ મગફળીના બિયારણની ફ્રી કીટ વિતરણમાં ભેદભાવનો આક્ષેપ કરી ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. માત્ર દાંતા, અમીરગઢ અને ધાનેરા તાલુકાના ખેડૂતોને જ લાભ આપવાના નિર્ણય સામે અન્ય તાલુકાના ખેડૂતોમાં આક્રોશ છે. ઓનલાઈન નોંધણી બાદ પણ લાભથી વંચિત રખાયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તમામ તાલુકાઓને સમાવવા માંગ કરી છે, નહીંતર ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠામાં મગફળી બિયારણ મુદ્દે કિસાન સંઘ મેદાને
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો: શું ફ્લાઈટ ટિકિટ થશે સસ્તી?
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં લાખો હવાઈ મુસાફરોને રાહત મળવાની શક્યતા છે. કેન્દ્ર સરકાર સંકેત આપી રહી છે કે જો ભાવ સ્થિર રહેશે તો એરલાઈન્સને સરચાર્જ અને ભાડામાં વધારાની સમીક્ષા કરવા કહેવામાં આવી શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રી K Ram Mohan Naidu એ જણાવ્યું કે સરકાર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) ના ભાવ પર નજર રાખી રહી છે, જે એરલાઈન્સના ખર્ચનો મોટો હિસ્સો છે. આનાથી ભવિષ્યમાં ફ્લાઇટ ટિકિટના ભાવ સસ્તા થવાની શક્યતા વધી ગઈ છે.
ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડો: શું ફ્લાઈટ ટિકિટ થશે સસ્તી?
કાર લોનના EMI ચૂકી ગયા?
કાર લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી આવે તો પણ બેંક તમારી કાર બળજબરીથી લઈ જઈ શકતી નથી. RBI ના નિયમો મુજબ, બેંકે પહેલા તમને સત્તાવાર નોટિસ આપવી પડે છે અને બાકી રકમ ચૂકવવા માટે 60 દિવસનો સમય આપવો પડે છે. રિકવરી એજન્ટો પણ ગેરવર્તન કે દાદાગીરી કરી શકતા નથી. સવારે 8 પહેલા કે સાંજે 7 પછી તેઓ સંપર્ક કરી શકતા નથી. જો બેંક કાર જપ્ત કરે, તો પણ હરાજી પહેલા તમને અંતિમ નોટિસ મળે છે અને કાર પાછી મેળવવાની તક મળે છે.
કાર લોનના EMI ચૂકી ગયા?
ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
રાજસ્થાનના ટોંકના વતની ઓલરાઉન્ડર જય મૂંદડા ભારત સામેની આગામી આયર્લેન્ડ ટી20 શ્રેણીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે આયર્લેન્ડ ગયેલા જયએ ત્યાંની નાગરિકતા મેળવી ક્રિકેટ કારકિર્દી આગળ વધારી હતી. તેમની પ્રતિભાના આધારે આયર્લેન્ડની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું છે. તેઓ સિમી સિંહ બાદ આયર્લેન્ડ તરફથી રમનાર બીજા ભારતીય મૂળના ક્રિકેટર બન્યા છે. જયની આ સિદ્ધિથી તેમના પરિવારજનો તેમજ ક્રિકેટપ્રેમીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
ટીમ ઈન્ડિયાના વૈભવને રોકવા આયરલેન્ડે શોધ્યું બ્રહ્માસ્ત્ર!
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
અમદાવાદમાં 16 જુલાઈએ યોજાનારી 149મી જગન્નાથ રથયાત્રાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા સુરક્ષા માટે આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર આવેલા જોખમી અને જર્જરિત મકાનો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેથી લાખો શ્રદ્ધાળુઓની અવરજવર દરમિયાન કોઈ દુર્ઘટના ન બને. સાથે જ માર્ગ પરના દબાણો, લટકતા વાયર અને અન્ય જોખમો પણ દૂર કરાશે. જમાલપુર મંદિર ખાતે રથોના સમારકામ અને ધાર્મિક વિધિઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
અમદાવાદમાં રથયાત્રા રૂટ પર AMCની કાર્યવાહી!
રૂ. 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000?
દેશની અગ્રણી જ્વેલરી કંપની રાજેશ એક્સપોર્ટ્સ અને તેની સહયોગી કંપનીઓ પર EDએ FEMA હેઠળ બેંગલુરુ અને મુંબઈમાં દરોડા પાડ્યા છે. તપાસમાં શેરબજાર હેરાફેરી, સોનાના સ્ટોકમાં 40% વિસંગતતા, શંકાસ્પદ વિદેશી વ્યવહારો અને 600 કરોડ રૂપિયાથી વધુની ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે. કંપની જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહી હોવાનું પણ EDએ જણાવ્યું છે. અગાઉ SEBIએ પણ કંપની પર નાણાકીય ગેરરીતિઓના ગંભીર આરોપો લગાવ્યા હતા.
રૂ. 7.7 લાખ કરોડની કમાણી પણ બોસનો પગાર માત્ર 17,000?
અયોધ્યા રામ મંદિર બાદ હવે મા વિંધ્યવાસિની ધામના ચઢાવા પર વિવાદ
અયોધ્યા બાદ હવે મિર્ઝાપુરના વિશ્વ પ્રસિદ્ધ મા વિંધ્યવાસિની ધામમાં દાનમાં મળતા સોના-ચાંદીના આભૂષણોના રેકોર્ડ અંગે સવાલો ઊભા થયા છે. પૂર્વ પંડા સમાજ પ્રમુખે આરોપ લગાવ્યો છે કે દાનમાં મળતા દાગીનાની વિગતવાર નોંધ કે જાહેર ઇન્વેન્ટરી તૈયાર થતી નથી. મંદિર પ્રશાસને તમામ પ્રક્રિયા મેજિસ્ટ્રેટ અને CCTV દેખરેખ હેઠળ પારદર્શક રીતે થતી હોવાનો દાવો કર્યો છે તેમજ દાગીના ડબલ લોકર સિસ્ટમમાં સુરક્ષિત રાખવામાં આવતા હોવાનું જણાવ્યું છે.
અયોધ્યા રામ મંદિર બાદ હવે મા વિંધ્યવાસિની ધામના ચઢાવા પર વિવાદ
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી 'આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ એન્ડ ટ્રેનિંગ સેન્ટર' હોસ્ટેલમાં 10 વર્ષની વિદ્યાર્થિની આયુષીનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું છે. છેલ્લા 15 દિવસથી માસૂમ બાળકી અછબડા અને તાવથી પીડાતી હોવા છતાં, હોસ્ટેલ પ્રશાસને તેના માતા-પિતાને અંધારામાં રાખ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ, પરંતુ તે પૂર્વે જ મૃત જાહેર કરાઈ. પરિવારે હોસ્ટેલ તંત્રની ઘોર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે.
જસદણની આલ્ફા હૉસ્ટેલની ઘોર બેદરકારી: 10 વર્ષની વિદ્યાર્થિનીનું બીમારી છુપાવતા મોત
'ઈરાન મારી દરેક વાત માની રહ્યું છે, નહીં માને તો...' ટ્રમ્પની તેહરાનને વધુ એક ધમકી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અમેરિકા સાથેની વાટાઘાટોમાં મહત્વપૂર્ણ રાહતો આપી રહ્યું છે અને ચર્ચા હકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. જોકે તેમણે ચેતવણી આપી કે વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા લશ્કરી કાર્યવાહી માટે પણ તૈયાર છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનને કોઈ ટેક્સ વસૂલવાની મંજૂરી નહીં આપવાની સ્પષ્ટતા કરી હતી. નાટોના મહાસચિવ માર્ક રૂટેએ પણ ઈરાનને પરમાણુ હથિયારોથી દૂર રાખવા ટ્રમ્પની નીતિને સમર્થન આપ્યું હતું.
'ઈરાન મારી દરેક વાત માની રહ્યું છે, નહીં માને તો...' ટ્રમ્પની તેહરાનને વધુ એક ધમકી
સોનાના ભાવમાં મોટો કડાકો: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ જાહેર કર્યો પોતાનો મોટો પ્લાન
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થતાં જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી તેને રોકાણ માટેની મોટી તક ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સસ્તા ભાવમાં ખરીદી કરતા પહેલાં બજારના ટ્રેન્ડ અને અર્થવ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરવું જરૂરી છે. તેમના મતે, સોનું, ચાંદી અને બિટકોઇન જેવી હાર્ડ એસેટ્સ લાંબા ગાળે વધુ સુરક્ષિત રોકાણ છે. હાલ જિયોપોલિટિકલ તણાવમાં ઘટાડો અને મજબૂત ડોલરના કારણે કિંમતી ધાતુઓના ભાવ ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા છે.
સોનાના ભાવમાં મોટો કડાકો: ‘રિચ ડેડ પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ જાહેર કર્યો પોતાનો મોટો પ્લાન
પાકિસ્તાનના ખાસ મિત્ર અઝરબૈજાનના ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ
ભારત સાથેના આર્થિક અને પ્રવાસન સંબંધો મજબૂત કરવા અઝરબૈજાને અમદાવાદથી બાકુ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવાની યોજના જાહેર કરી છે અને ભારત સરકાર પાસે મંજૂરી માગી છે. મંજૂરી મળ્યા બાદ શરૂઆતમાં અઠવાડિયામાં ચાર ફ્લાઇટ શરૂ થશે. બાકુ ભારતીય પ્રવાસીઓ, ડેસ્ટિનેશન વેડિંગ અને મેડિકલ અભ્યાસ માટે લોકપ્રિય બની રહ્યું છે. પાકિસ્તાનનો નજીકનો સહયોગી હોવા છતાં અઝરબૈજાન ભારત સાથે સંબંધો સુધારવા અને ભારતીય પ્રવાસીઓને આકર્ષવા આ પગલું ભરી રહ્યું છે.
પાકિસ્તાનના ખાસ મિત્ર અઝરબૈજાનના ભારત સાથે સંબંધ સુધારવા પ્રયાસ
ફૂટબોલરો કરોડોનો પગ વીમો કેમ કરાવે છે?
ફૂટબોલમાં ગંભીર ઈજા ખેલાડીઓની કારકિર્દી માટે મોટો ખતરો હોવાથી લિયોનેલ મેસ્સી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર જુનિયર જેવા સ્ટાર ખેલાડીઓ પોતાના પગ માટે કરોડો ડોલરનો ખાસ 'બોડી પાર્ટ ઇન્સ્યોરન્સ' કરાવે છે. આ કસ્ટમાઇઝ્ડ વીમો તેમને ભવિષ્યની આર્થિક સુરક્ષા આપીને નિર્ભયતાથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં મદદ કરે છે. કમાણીની દ્રષ્ટિએ મેસ્સી 900 મિલિયન ડોલર સાથે સૌથી આગળ છે, જ્યારે ડેવિડ બેકહામ, ગેરેથ બેલ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને નેમાર જુનિયર પણ મેદાન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી મોટી આવક મેળવે છે.
ફૂટબોલરો કરોડોનો પગ વીમો કેમ કરાવે છે?
અમેરિકાની સંસદમાં ગૂંજ્યું UPI: પેમેન્ટ સિસ્ટમમાં સુધારો કરવા સાંસદોએ આપ્યું ભારતનું ઉદાહરણ
અમેરિકામાં પેમેન્ટ સિસ્ટમના આધુનિકીકરણ અંગે યોજાયેલી ચર્ચામાં ભારતના UPI મોડેલના વખાણ થયા હતા. અમેરિકી સાંસદો અને ફિનટેક કંપનીઓએ જણાવ્યું કે UPI જેવી આધુનિક પેમેન્ટ વ્યવસ્થાએ ભારતમાં ડિજિટલ વ્યવહારોમાં ક્રાંતિ લાવી છે. સ્ટ્રાઇપ સહિતની કંપનીઓએ અમેરિકામાં પણ પેમેન્ટ કંપનીઓને સીધી ઍક્સેસ આપવાની માંગ કરી હતી. અમેરિકી સાંસદોએ કહ્યું કે ભારત અને બ્રાઝિલના સફળ મોડલ દર્શાવે છે કે ઝડપી, સુરક્ષિત અને મફત ડિજિટલ પેમેન્ટ સિસ્ટમથી ઇનોવેશન અને ડિજિટલ અર્થતંત્રને મોટી ગતિ મળે છે.
અમેરિકાની સંસદમાં ગૂંજ્યું UPI: પેમેન્ટ સિસ્ટમમાં સુધારો કરવા સાંસદોએ આપ્યું ભારતનું ઉદાહરણ
રામ મંદિર ટ્રસ્ટ PMOને દાનનો હિસાબ આપવાનો ઇનકાર
રામ મંદિરના દાન અને ભંડોળમાં પારદર્શિતાના અભાવ અંગે વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી હિસાબ માંગવામાં આવ્યો હતો. સ્થાનિક ભાજપ નેતા રજનીશ સિંહે PMOને ફરિયાદ કરી હતી કે મંદિરના નાણાકીય વ્યવહારો, દાન અને સંપત્તિની વિગતો જાહેર કરવામાં આવે. જોકે, ટ્રસ્ટે SIT તપાસ ચાલી રહી હોવાનું કહીને નાણાકીય માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે વિવાદ વધુ વકર્યો છે.
રામ મંદિર ટ્રસ્ટ PMOને દાનનો હિસાબ આપવાનો ઇનકાર
પાકિસ્તાની પતિએ ફ્રેન્ચ પત્નીને ૧૦ વર્ષ બંધક બનાવી રાખી!
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક ભયાવહ ઘટના સામે આવી છે, જ્યાં એક પાકિસ્તાની વ્યક્તિએ તેની ફ્રેન્ચ પત્ની સિલ્વી યાસ્મીના અને તેમના પાંચ બાળકોને ૧૦ વર્ષથી વધુ સમય સુધી ઘરમાં બંધક બનાવી રાખ્યા હતા. આ સમય દરમિયાન પરિવારને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. યાસ્મીનાના એક પુત્રના પ્રયાસોથી આ મામલો બહાર આવ્યો, જે ભાગી છૂટવામાં સફળ રહ્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે દરોડો પાડી યાસ્મીના અને બાળકોને મુક્ત કરાવ્યા. પરિવાર હવે ફ્રાન્સ પરત ફરવાની તૈયારી કરી રહ્યો છે.
પાકિસ્તાની પતિએ ફ્રેન્ચ પત્નીને ૧૦ વર્ષ બંધક બનાવી રાખી!
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
અમદાવાદ સાયબર ક્રાઈમ હેઠળ, એક રિયલ એસ્ટેટ એજન્ટ સાથે RBI (Reserve Bank of India)ની ખોટી ઝિપ ફાઈલ મોકલી વિશ્વાસઘાત થયો છે. ઠગે એજન્ટના ઓફિસ કમ્પ્યુટરને હેક કર્યું અને ત્યારબાદ બોસના નામે નકલી WhatsApp એકાઉન્ટ બનાવી એકાઉન્ટન્ટ પાસે ₹1.5 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. આ ઘટનામાં, એક અજાણ્યા નંબર પરથી આવેલી ઝિપ ફાઈલ ખોલતા સિસ્ટમ હેક થઈ ગઈ, જેના પગલે આ મોટું આર્થિક નુકસાન થયું. આ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસ તપાસ કરી રહી છે.
RBIની નકલી ઝિપ ફાઈલથી કમ્પ્યુટર હેક, 1.5 કરોડની છેતરપિંડી
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં આજે, 25મી જૂને, બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિત 11 મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થશે. આ સાથે, AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોની નિમણૂક પણ થશે. નવી કમિટીઓમાં જાતિ, વર્ગ અને ઝોન જેવા રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને સત્તાનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરાશે.
AMCમાં નવી કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની જાહેરાત
અમેરિકા જવા નીકળેલા વિદ્યાર્થીના F-1 વિઝા એરપોર્ટ પર રદ!
અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદના એક વિદ્યાર્થીને ઍમ્સ્ટરડેમ ઍરપૉર્ટ પર તેની અમેરિકાની ફ્લાઈટ માટે પહોંચ્યા બાદ જાણ થઈ કે તેના F-1 સ્ટુડન્ટ વિઝા એક વર્ષ પહેલાં જ રદ્દ થઈ ચૂક્યા હતા, જેની તેને કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નહોતી. આ કારણે તેને ફ્લાઈટમાં બેસવાની મંજૂરી મળી નહીં અને તેને હૈદરાબાદ પરત ફરવું પડ્યું. યુનિવર્સિટીના જણાવ્યા મુજબ, તેનું I-20 અને SEVIS રેકોર્ડ સક્રિય છે, પરંતુ ઇમિગ્રેશન નિષ્ણાતો મુસાફરી પહેલાં SEVIS રેકોર્ડ સક્રિય હોવાની ખાતરી કરવા અને Designated School Official (DSO) સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપે છે.
અમેરિકા જવા નીકળેલા વિદ્યાર્થીના F-1 વિઝા એરપોર્ટ પર રદ!
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
અમદાવાદ-ઓખા વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રક અને સંચાલનમાં મહત્વના ફેરફારો કરાયા છે. હવે ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી જંક્શનથી ઉપડશે અને પશ્ચિમ અમદાવાદના મુસાફરોની સુવિધા માટે આંબલી રોડ સ્ટેશન પર પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સાણંદમાં પણ ટ્રેન રોકાશે, જેથી પ્રવાસીઓને કાલુપુર જવાની જરૂર નહીં પડે. નવી વ્યવસ્થા હેઠળ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે અને શ્રદ્ધાળુઓ એક જ દિવસમાં દ્વારકાધીશના દર્શન કરીને પરત ફરી શકશે.
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે!
રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા!
નવા પુસ્તક "Regime Change" મુજબ, અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે એક યોજના સૂચવી હતી, જેમાં ભારતીય સૈનિકોનો સમાવેશ કરવાનો વિચાર હતો. જાન્યુઆરી ૨૦૨૫માં ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મીટિંગમાં તેમણે આ સૂચન કર્યું હતું. જોકે, ટ્રમ્પે તેને ફગાવી દીધું હતું, એમ કહીને કે ભારતીય નેતૃત્વ, ખાસ કરીને PM મોદી, ક્યારેય આવા પગલા માટે સંમત નહીં થાય. ટ્રમ્પના મતે, ભારતીય સૈનિકો આ કાર્ય માટે કોઈ કિંમત ચૂકવવા તૈયાર નહીં થાય.
રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા!
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
૨૦૨૧માં મુન્દ્રા પોર્ટ પરથી રૂ. ૨૧,૦૦૦ કરોડનું ૨૯૮૮.૨૧ કિલો હેરોઇન જપ્ત થયું હતું. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ દિલ્હીમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરી છે. ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ દિલ્હીનાં બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીર તલવાર, શમસુદ્દીન અને અન્ય કેટલાક લોકોનાં પરિસરો સહિત પાંચ જગ્યાએ દરોડા પાડ્યા હતાં. આ ડ્રગ્સ નેટવર્ક પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાને ફંડિંગ કરતું હોવાનું NIAની ચાર્જશીટમાં જણાવાયું છે.
મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ જપ્તી: દિલ્હીમાં EDના અનેક સ્થળોએ દરોડા!
ઇરાનનાં પરમાણુ સ્થળોનું નિરીક્ષણ IAEAએ દ્વારા ફરજિયાત: ટ્રમ્પની પણ ચેતવણી
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના પ્રમુખ રાફેલ ગ્રોસીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ટીમ ટૂંક સમયમાં ઇરાનના પરમાણુ સંવર્ધન કેન્દ્રનું નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણ ઇરાન-યુએસ સમજૂતીનો મુખ્ય ભાગ છે. IAEA ઇરાનના પરમાણુ ભંડારની સ્થિતિ સુનિશ્ચિત કરશે. જો ઇરાન હોર્મુઝમાં કોઈપણ સ્વરૂપે ટોલ ટેક્સ લેશે તો શાંતિ મંત્રણા રદ કરવામાં આવશે તેવી ટ્રમ્પની ધમકી છે. ઇરાનના ટોચના રાજદ્વારીઓએ આ નિરીક્ષણને અંતિમ કરાર બાદની બાબત ગણાવી છે.