અસારવા-સાબરમતી ટ્રેક કામગીરી: મેમુ ટ્રેનો નરોડાથી, કાનપુર સ્પેશિયલ 2 કલાક મોડી.
આજે અસારવા-સાબરમતી વચ્ચે ટ્રેક કામગીરી છે. આ કારણે, મેમુ ટ્રેનો નરોડા સુધી જશે/આવશે. ટ્રેન 69246, 69243, 69252 બદલાયા છે. કાનપુર સ્પેશિયલ (01906) 2 કલાક મોડી, સવારે 10:55 વાગ્યે ઉપડશે. મુસાફરોને નોંધ લેવા વિનંતી.
અસારવા-સાબરમતી ટ્રેક કામગીરી: મેમુ ટ્રેનો નરોડાથી, કાનપુર સ્પેશિયલ 2 કલાક મોડી.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ભાવનગર LCBએ ડ્રોન કેમેરાની મદદથી મોતીતળાવ પાસે જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા. તેમની પાસેથી ₹36,700 રોકડ, mobile ફોન અને જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા. તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે પોલીસ મથકે સોંપાયા.
LCBએ ડ્રોન કેમેરાથી 6 જુગારી પકડ્યા, ₹36,700નો મુદ્દામાલ જપ્ત.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
ગુજરાતમાં ગરમીથી રાહત મળવાના સંકેત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થશે. પવનોની દિશા બદલાતા રાહત મળશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે, અને આવતીકાલથી તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટમાં ગરમીનો પારો 42-43 ડિગ્રીએ પહોંચ્યો હતો. સુરેન્દ્રનગરમાં સર્વાધિક 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ચોમાસા માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે, જેનાથી આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોર પકડી શકે છે.
ગુજરાતમાં ગરમી ઘટવાના સંકેત, તાપમાન બે-ત્રણ ડિગ્રી નીચે આવશે.
ધોનીનું CSK સાથે ફોટોશૂટ, ગાયકવાડના 1000 રન, ક્લાસનના 2000 IPL રન.
પાટણ: પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
પાટણ નગરપાલિકાએ ઐતિહાસિક પિતાંબર તળાવ ફરતે થયેલા 104 ગેરકાયદેસર દબાણોને ચોમાસા પૂર્વે 15 દિવસમાં હટાવવા નોટિસ ફટકારી છે. ગંદા પાણી અને પૂરની સંભવિત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્રએ કડક પગલાં લીધા છે. દબાણકર્તાઓએ 15 દિવસમાં સ્થળાંતર કરવું પડશે, અન્યથા બુલડોઝર ફેરવાશે.
પાટણ: પિતાંબર તળાવ પર 104 દબાણ હટાવવા નોટિસ.
ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ
BJP mayor selection: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામને ત્રણ સપ્તાહનો સમય વીત્યો છે ત્યારે હજુય નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ હજુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પસંદગી કરી શક્યું નથી. નવા પદાધિકારીઓની પસંદગીને લઈને ભાજપમાં મથામણ જામી છે. એટલું જ નહીં, મેયર સહિતના પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત માટે હજુ બે-ચાર દિવસની રાહ જોવી પડે તેમ છે.ચૂંટણીમાં ભાજપનો દબદબોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જોરદાર દેખાવ કર્યો છે.
ચૂંટણી જીત્યાના 3 સપ્તાહ પછી પણ કેમ ન મળ્યા મેયર? ગુજરાત ભાજપમાં અંદરખાને મોટું ઘમસાણ
વન નેશન વન ઈલેક્શન JPCની બ્યુરોક્રેટ્સ સાથે ગાંધીનગરમાં બેઠક.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
ઓનલાઇન દવાનું વેચાણ સહિતના પ્રશ્નો યથાવતવારંવાર રજુઆતો છતાં ગંભીર પ્રશ્નો પર કોઈ ઠોસ કાર્યવાહી ન થતા દવાના વેપારીઓમાં ભારે રોષભાવનગર - દેશભરના દવાના વેપારીઓના અસ્તિત્વ અને જન આરોગ્યની સુરક્ષા માટે આગામી તા.૨૦ મે ના રોજ રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન અપાયુ છે. ઓનલાઈન ફાર્મસીની અનિયંત્રીત કામગીરી અને શોષણકારી ભાવની નીતિ સામે રસ્તા પર ભાવનગર અને બોટાદ જિલ્લાના કેમીસ્ટસ રસ્તા પર ઉતરશે. ગેરકાયદેસર ઈ-ફાર્મસી અને ડીપ ડિસ્કાઉન્ટના કારણે ૫ કરોડ આશ્રિતોની રોજીરોટી પર સંકટ છવાઈ જવા પામેલ છે.
પડતર પ્રશ્ને કાલે ભાવનગર-બોટાદના દવાના વેપારીઓનું બંધનુ એલાન
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો
Fuel Price Hike: આજના સમયમાં સવારે ઉઠતાની સાથે જ જો કોઈ સમાચાર મિડલ ક્લાસ પરિવારનું આખું બજેટ હલાવી નાખતા હોય, તો તે છે ઈંધણના ભાવ. જો તમે વિચારતા હોવ કે ગત શુક્રવારે થયેલો ભાવવધારો છેલ્લો હતો, તો તમે ખોટા છો. સરકારે માત્ર 5 જ દિવસમાં જનતાને બીજો મોટો આંચકો આપતા ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને વૈશ્વિક બજારની ઉથલપાથલની સીધી અસર હવે સામાન્ય ભારતીયના ખિસ્સા પર દેખાવા લાગી છે.
જનતા ખિસ્સા ખાલી કરવા તૈયાર રહે! 5 જ દિવસમાં બીજી વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો નવો આંકડો
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો
અમદાવાદ : ભારતની ચોખાની નિકાસ, તેની સૌથી મોટી કૃષિ-ઉત્પાદન શિપમેન્ટ, પશ્ચિમ એશિયા યુદ્ધથી પ્રભાવિત થઈ રહી છે અને એપ્રિલમાં શિપમેન્ટના મૂલ્યમાં ૬% ઘટાડો થયો છે. એપ્રિલ ૨૦૨૬માં, વિશ્વના સૌથી મોટા ચોખા નિકાસકાર ભારતે ૧.૦૧ બિલિયન ડોલર મૂલ્યના ચોખા મોકલ્યા હતા, જે વાર્ષિક ધોરણે ૬% ઘટાડો દર્શાવે છે.મધ્ય પૂર્વમાં સંઘર્ષે ઈરાન અને સાઉદી અરેબિયા સહિતના ખાડી દેશોમાં સુગંધિત લાંબા અનાજવાળા બાસમતી ચોખાની નિકાસમાં વિક્ષેપ પાડયો હતો.
શિપમેન્ટમાં વિક્ષેપથી એપ્રિલમાં ચોખાની નિકાસમાં 6 ટકાનો ઘટાડો
દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
નવીદિલ્હી : એક જમાનામાં ઉત્તર પ્રદેશમાં બસપા લાંબા સમય સુધી સત્તામાં રહી હતી. કાંશીરામ અને માયાવતીએ પક્ષની સ્થાપના કર્યા પછી દલીત અને ઓબીસીના સમર્થનને કારણે બસપા અને માયાવતી છવાઈ ગયા હતા. ધીમે ધીમે માયાવતીની પકડ ઓછી થતી ગઈ. એમની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અને ભેગી કરેલી મિલકતને કારણે તેઓ લોકોની નજરમાંથી ઉતરતા ગયા. હમણા બસપા નેશનલ પાર્ટી છે, પરંતુ ગમે ત્યારે આ દરજ્જો ગુમાવી શકે એમ છે. હમણા દેશમાં છ નેશનલ પાર્ટીઓ, ભાજપ, કોંગ્રેસ, બસપા, સીપીઆઇ (એમ) અને એનપીપી છે.
દિલ્હીની વાત : બસપા રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે
મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સંબંધિત ખલેલને કારણે ઊભી થઈ રહેલી અનિશ્ચિતતા, આઈટી ખર્ચમાં ધીમી ગતિ તથા નબળા અર્નિંગ્સની ધારણાંને ધ્યાનમાં રાખી મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ટેકનોલોજી સ્ટોકસમાં રોકાણમાં જોરદાર ઘટાડો જોવાયો છે. એક બ્રોકરેજ હાઉસ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે, મ્યુચ્યુઅલ ફન્ડોના પોર્ટફોલિઓમાં ટેકનોલોજી ક્ષેત્રને વેઈટેજ એપ્રિલમાં ઘટી ૬.૭૦ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યું હતું. ટેકનોલોજી ક્ષેત્રને ફન્ડોનું વેઈટેજ એપ્રિલમાં એક વર્ષમાં ૧.
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૬માં ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૧૭૦ ટકાથી વધુ વધી ૫૦.૨૦ લાખ ટન રહી હતી. જોકે ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયાએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા પરથી કહી શકાય છે.ગત નાણાં વર્ષમાં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ૬૭.૧૦ લાખ ટન રહી હતી.
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ફરી ઉંચકાયા હતા. સરકારે ચાંદીની ઈમ્પોર્ટ પર અંકુશો લાદતાં તેની અસર પણ બજાર પર દેખાઈ હતી. વિશ્વ બજરામાં ભાવ ઘટયા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં તેની અસર પણ ઝવેરી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ વધી રૂ.
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું
IPL: RR vs LSG, રાજસ્થાન home માં જીત્યું નથી, લખનઉને 5 વાર હરાવ્યું.
IPL 2024 ની 64મી મેચ RR અને LSG વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. પ્લેઑફમાં ટકી રહેવા રાજસ્થાન માટે આ મેચ જીતવી ખૂબ જરૂરી છે. જોકે, આ સીઝનમાં રાજસ્થાન ઘરઆંગણે એક પણ મેચ જીતી શક્યું નથી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પહેલાથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 7 મેચ રમાઈ છે, જેમાં RRએ 5 અને LSGએ 2 મેચ જીતી છે.
IPL: RR vs LSG, રાજસ્થાન home માં જીત્યું નથી, લખનઉને 5 વાર હરાવ્યું.
ડભોઇ: 4 ગામ માટે વિનામૂલ્યે મેડિકલ કૅમ્પ યોજાયો
ડભોઇના વડજ, કનાયડા, ગામડી અને ધરમપુરી એમ કુલ 4 ગામના લોકો માટે વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો. નિષ્ણાંત ડોક્ટરો દ્વારા શારીરિક તપાસ, આંખ, કાન, નાક, ગળું, ચામડીના રોગો, ડાયાબિટીસ જેવી બીમારીઓનું નિ:શુલ્ક ચેકઅપ કરાયું. દર્દીઓને નિદાન, સારવાર, દવા અને હેલ્થ સપ્લિમેન્ટ્સ પણ વિનામૂલ્યે અપાયા.
ડભોઇ: 4 ગામ માટે વિનામૂલ્યે મેડિકલ કૅમ્પ યોજાયો
પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
પાદરામાં રંગ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત નવાહન પારાયણ નિમિત્તે ભક્તિમય શોભાયાત્રા યોજાઈ. જેમાં સમગ્ર નગર હરિભક્તિ અને ધાર્મિક ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું. આગેવાનો, સંતો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ગાય માતાને પ્રધાન શ્રોતા તરીકે સ્થાન અપાતા કાર્યક્રમને આધ્યાત્મિક મહત્વ પ્રાપ્ત થયું.
પાદરામાં ભાગવત પારાયણ પૂર્વે ભવ્ય શોભાયાત્રા.
સાવલી ખોખર ગામે નવી બનતી ગૌશાળામાં તોડફોડ, રોષ.
સાવલીના ખોખર ગામે હનુમાન મંદિર સ્થિત નવી બનતી ગૌશાળામાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ થતાં ચકચાર મચી છે. આ ઘટનાથી ધર્મપ્રેમી જનતામાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. સંત સમાજ અને ગૌભક્તોએ દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. મંદિરના મહંતે ગામમાં દારૂના વ્યસનને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનું જણાવ્યું છે.
સાવલી ખોખર ગામે નવી બનતી ગૌશાળામાં તોડફોડ, રોષ.
જૂનાગઢ: ગેરકાયદે ઘાટ, ઝેરી કેમિકલથી નદી પ્રદૂષિત, જમીનો બંજર, લોકોને બીમારી.
જૂનાગઢના ભાટ ગામમાં 150થી વધુ ગેરકાયદે ધોલાઈ ઘાટ દ્વારા સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી નદીઓમાં ઠાલવવામાં આવે છે. આ પ્રદૂષણથી જમીનો બંજર બની છે, લોકોને ચામડીની બીમારીઓ થઈ રહી છે અને નદીઓ લીલી-કાળી બની ગઈ છે. પીવાલાયક પાણી પણ રહ્યું નથી. દિવ્ય ભાસ્કરે Google Maps દ્વારા ગેરકાયદે ઘાટના વધારાનો ખુલાસો કર્યો છે. તંત્રની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે.
જૂનાગઢ: ગેરકાયદે ઘાટ, ઝેરી કેમિકલથી નદી પ્રદૂષિત, જમીનો બંજર, લોકોને બીમારી.
પંચમહાલ દરજી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા.
શહેરાના ખડોદી ગામે શ્રી 212 દરજી વિકાસ મંડળ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં બાલાસિનોર ઇલેવનક્ર વિજેતા બની. સમાજમાં રમતગમત, એકતા અને સંગઠનની ભાવના વધારવાના ઉમદા હેતુથી આયોજિત આ સ્પર્ધામાં પંચમહાલ, મહીસાગર અને આસપાસના વિસ્તારોની 14 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલમાં બાલાસિનોર ઇલેવનક્ર અને પીપાવંશી ઇલેવન ખાનપુર વચ્ચે રોમાંચક મુકાબલો થયો હતો, જેમાં બાલાસિનોરની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.
પંચમહાલ દરજી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા.
લુણાવાડા કલેક્ટર કચેરી અને એસપી કચેરી પાસેના રોડ પર ખાડા.
મહીસાગરના લુણાવાડામાં કલેક્ટર કચેરી અને એસપી ઓફ્સિ નજીક આરસીસી રોડ પર મોટા ખાડા પડ્યા છે. આ સ્થિતિ તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે, જ્યાંથી વહીવટ ચાલે છે તેવા મુખ્ય માર્ગોની આ હાલત વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી કરે છે. કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા સામે પણ શંકા સેવાઈ રહી છે.
લુણાવાડા કલેક્ટર કચેરી અને એસપી કચેરી પાસેના રોડ પર ખાડા.
ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર .
- બોજ વિનાની મોજ-અક્ષય અંતાણી- અગાઉ સર-કારને ધક્કા મારીને ચલાવવી પડતી અને અત્યારે કારને ધક્કા મારી ચલાવવી પડે છેઈંધન વિના ગાડીને ન ચાલે અને ધન વિના લાડીને ન ચાલે. સડક પર ગાડી ચલાવવા ઈંધન જોઈએ અને સંસારની ગાડી ચલાવવા માટે ધન જોઈએ. ઈંધન ખૂટે તો ગાડી અટકે અને ધન ખૂટે તો લાડી વટકે. હવે તો ગાડીઓ ગેસથી પણ ચાલે છેને? ગેસ સ્ટેશનમાં ગેસ ખૂટે ત્યારે ગાડીને પ્રોબ્લેમ થાય જ્યારે વધુ બટેટા ખાધા હોય ત્યારે લાડીને ગેસનો પ્રોબ્લેમ થાય.
ભવિષ્યમાં યુ.પી.થી દોડશે કાર .
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ
અમદાવાદ,સોમવાર,18 મે,2026અમદાવાદમાં ગટરની સફાઈ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન એજન્સીદીઠ અંદાજે મહિને રુપિયા પચાસ હજારનું ચૂકવણુ કરવામા આવે છે.આમ છતાં દક્ષિણ ઝોનનાદાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં ગટર ઉભરાવાથી લઈ ગટર સંબંધી ૩૬ હજારથી વધુફરિયાદ નોંધાઈ છે.
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ
અષ્ટાંગ આયુર્વેદમાં રસાયણની વિશેષ શાખા
ઉત્તરપ્રદેશના લખીમપુરમાં પૂરપાટ વેન ટ્રકમાં ઘૂસી જતાં 10નાં મોત
- મેજિક વેનમાં 8 થી 12 શ્રમજીવીઓ બેઠા હતા- ભયાનક ટક્કરમાં વેનના ફૂરચા ઉડયા : પ્રવાસીઓની બૂમાબૂમથી લોકો દોડી આવ્યાલખીમપુર(ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં સોમવારે સવારે એક ભયાનક માર્ગ દુર્ઘટના થઇ. અહીંના બહરાઇચ રોડ પર ઉંચ ગામની પાસે પૂરઝડપે જઇ રહેલી પ્રવાસીઓથી ભરેલી એક મેજિક વેન ટ્રકમાં ઘૂસી જતાં વેનમાં બેઠેલા ૧૦ લોકોના મોત થયા, જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા, જેમને સારવાર માટે સાર્વજનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાયા છે.મેજિક વેનમાં ૮ થી ૧૨ લોકો બેઠા હતા.